મોદીના 'હુંકાર' બાદ બદલાય જશે બિહારની રાજનીતિ: ભાજપા
પટણા, 24 ઓક્ટોબર: ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલના દિવસોમાં નીતિશ કુમારના સપનાઓમાં છવાયેલા છે. મોદી આ મહિનાના અંતમાં 27 ઓક્ટોબરના રોજ પટણામાં વિશાળ રેલીમાં હુંકાર ભરવા જઇ રહ્યા છે. મોદીની હુંકારની ગુંજ અત્યારથી જ નીતિશ કુમારની ઊંઘ ઉડાવી રહી છે.
નીતિશ મોદીના કટ્ટર વિરોધી રહ્યા છે. મોદીના કારણે જ નીતિશ કુમારે પોતાના નુકસાન અંગે વિચાર કર્યા વગર જ એનડીએ સાથેનો પોતાનો છેડો ફાડી લીધો. અને હવે નરેન્દ્ર મોદી તેમના જ ગઢમાં આવીને તેમની પોલ ખલવાના છે. આવામાં નીતિશ કુમારના હૃદયના ધબકારા વધી ગયા છે. મોદીની લોકપ્રિયતા તેમનાથી પણ છૂપાયેલી નથી.
ભાજપાનો તો દાવો છે કે મોદીની હુંકાર રેલી બિહારના રાજકરણ સમીકરણોને બદલી નાખશે. ભાજપાએ દાવો કર્યો કે પટણાના ગાંધી મેદાનમાં યોજાનારી 'હુંકાર રેલી'થી બિહારની રાજનીતિમાં પરિવર્તન આવી જશે. પટણામાં પત્રકારો સાથે ચર્ચા કરતા ભાજપાના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે પટણાના ગાંધી મેદાનમાં ભાજપાના વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીમાં એટલા લોકો એકત્રિત થશે જેટલા અહીં અત્યાર સુધી યોજાયેલ રેલીઓમાં એકત્રિત નહીં થયા હોય.

પ્રસાદમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ નિશાનો સાધતા જણાવ્યું કે નીતિશ જાણે છે કે જનાદેશની સાથે વિશ્વાસઘાત કરવાના કારણે તેમની સામે લોકોમાં ગુસ્સો છે. આ કારણ છે કે તેઓ હવે રાજ્યના અન્ય પ્રદેશોની મુલાકાતે જતા નથી.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
