Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તો હવે ભારત જાણશે, નેતાજીની મોતનું કારણ

કેવી રીતે થઇ હતી નેતાજી સુભાષ ચંદ્રની બોઝની મોત? શું તે 1945માં તાઇવાનમાં થયેલ વિમાન દુર્ધટનામાં માર્યા ગયા હતા કે પછી સોવિયટ સંધના નેતા જોસેફ સ્ટાલિનના ઇશારા પર તેમની હત્યા કરવામાં આવી હતી. આ તમામ સવાલોના જવાબ હવે દેશની જનતાને મળશે.

subhash chandra bose

સુત્રોથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કેન્દ્ર સરકાર નેતાજીની મોતથી જોડાયેલી ગોપનીય ફાઇલોને જાહેર કરશે. જો કે આમ ક્યારે થશે તેનો નિશ્ચિત સમય નથી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં કેટલાક સમય પહેલા એક આરટીઆઇના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે નેતાજીને લઇને 41 ફાઇલો છે.

મહત્વપૂર્ણ છે કે દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુએ લાંબા સમય સુધી સુભાષ ચંદ્ર બોઝના પરિવારજનોની જાસૂસી કરાવી હતી.

જો કે જાણકારોનું માનીએ તો આ ફાઇલો બહાર આવવાથી ભારત, બ્રિટેન અને રુસના સંબંધો ખાટા થશે તેમાં કોઇ નવાઇ નથી. જાણકારોનું કહેવું છે કે તેમની મોતનું કારણ શોધવા ગઠિત કરેલ મુખર્જી આયોગના કહેવા પ્રમાણે આવા કોઇ વિમાની દુર્ધટનાનો રેકોર્ડ નથી જેનાથી તે ખબર પડે કે તેમની મોતનું કારણ, વિમાન દુર્ધટના છે. વધુમાં તાઇવાનની કોઇ હોસ્પિટલ પાસે તેમના શબનો પણ કોઇ રેકોર્ડ નથી મળી રહ્યો.

જાપાનમાં અસ્થિ

કહેવાય છે કે નેતાજીની અસ્થિ જાપાનના એનકોજી મંદિરમાં સંભાળીને રાખવામાં આવ્યા છે. આ દાવો અમદાવાદના બીએસ દેશમુખે કર્યો હતો. ત્યારે આ અસ્થિ નેતાજીના છે કે કેમ તે પણ એક રહસ્ય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X