નવાબ મલિક Vs ફડણવીસ: નવાબ મલિકની પુત્રી-જમાઇએ પૂર્વ સીએમ પર કર્યો 5 કરોડનો માનહાની કેસ
મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિક અને પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોની શાબ્દિક લડાઈ હવે કાનૂની લડાઈ સુધી પહોંચી ગઈ છે. હકીકતમાં, મલિકે બુધવારે ભૂતપૂર્વ મુખ્ય પ્
મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિક અને પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોની શાબ્દિક લડાઈ હવે કાનૂની લડાઈ સુધી પહોંચી ગઈ છે. હકીકતમાં, મલિકે બુધવારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફડણવીસ પર તેમના કાર્યકાળ દરમિયાન નકલી ચલણની રમતને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો અને કાળા કારોબારમાં સામેલ ભાજપના નેતા હાજી અરાફાતના નાના ભાઈને બચાવ્યો હતો. આ આરોપ લગાવતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિક પર વળતો પ્રહાર કર્યો હતો. ફડણવીસે કહ્યું કે, "નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધો છે... તેણે દાઉદ ઈબ્રાહિમની ગેંગ પાસેથી જમીનો ખરીદી છે. આ જમીનો મુંબઈમાં બ્લાસ્ટ કરવાના આરોપીઓની છે. નવાબે આવું કેવી રીતે કર્યું, તે રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. હું તેના વિશે જાહેર કરીશ."

નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધો હોવાનું ફડણવીસે કહ્યું પછી નવાબ મલિક અને તેના સંબંધીઓ ગુસ્સે થયા છે. આજે નવાબ મલિકના જમાઈએ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને માનહાનિની નોટિસ મોકલી છે. તેમણે કહ્યું હતું કે, "બદનક્ષીભર્યા અને ખોટા આરોપો અને અમને માનસિક ત્રાસ આપવા બદલ ફડણવીસ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેમજ અમને આર્થિક નુકસાન માટે 5 કરોડ રૂપિયા આપવામાં આવે."
તે જ સમયે, નવાબની પુત્રી નિલોફર મલિક ખાને ટ્વિટર પર કહ્યું, "ખોટા આરોપો લોકોનું જીવન બરબાદ કરે છે. કોઈ વ્યક્તિ આરોપ મૂકે કે નિંદા કરે તે પહેલાં, તેણે જાણવું જોઈએ કે તેઓ શું વાત કરી રહ્યા છે. આ બદનક્ષીની નોટિસ ફડણવીસ દ્વારા મારા પરિવાર પર કરવામાં આવેલા ખોટા દાવા અને નિવેદનો માટે છે. અમે પાછા હટીશું નહીં."
મલિકે ફડણવીસ વિરુદ્ધ પણ આ વાત કહી
ફડણવીસ પર પ્રહાર કરતા નવાબ મલિકે મોડી રાત્રે ટ્વીટ કર્યું કે, 'તેમની હોશ એવી રીતે ઉડી ગઈ કે તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો, અમે માત્ર તેને અરીસો બતાવ્યો!' અગાઉ મલિકે આરોપ લગાવ્યો હતો કે ફડણવીસે વિદેશમાંથી ફોન આવ્યા બાદ અનેક કુખ્યાત લોકોના કેસ ઉકેલ્યા હતા. નવાબના કહેવા પ્રમાણે, "મહારાષ્ટ્રમાં ફડણવીસના કહેવા પર વસૂલાત કરવામાં આવી હતી. ફડણવીસે રાજકારણને અપરાધીકરણ કર્યું હતું."
False accusations ruin lives. Before one accuses or condemns they must know what they are talking about. This defamation notice is for the false claims & statements which Mr. @Dev_Fadnavis has put on my family. We will not back down. pic.twitter.com/xsQYcgDhMb
— Nilofer Malik Khan (@nilofermk) November 11, 2021
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
