For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ પર હુમલો નથી, લોકતંત્ર પર હુમલો છે: રાહુલ ગાંધી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rahul-gandhi
રાયપુર, 26 મે: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમની પાર્ટીના નેતાઓ પર થયેલો નક્સલી હુમલો કોંગ્રેસ પર નથી, પરંતુ આ લોકતંત્ર પર હુમલો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે આ પ્રકારના હુમલાથી ડરીશું નહી અને સાહસ સાથે આગળ વધીશું. કોંગ્રેસ ઉપાધ્યક્ષે નવી દિલ્હીથી મોડી રાત્રે બે વાગે અહીં પહોંચ્યા હતા રાયપુર કોંગ્રેસ ભવનમાં સંવાદદાતાઓની સંક્ષિપ્ત વાતચીત કરી હતી.

કોંગ્રેસ ઉપાધ્યક્ષે કહ્યું હતું કે હું હોસ્પિટલમાં વીસી શુક્લા અને અન્ય ઘાયલો સાથે મુલાકાત કરી હતી. તેમને કહ્યું હતું વડાપ્રધાન મંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે સવારે પીડિતોની મુલાકાત લેશે. ગઇકાલે થયેલા નક્સલી હુમલામાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા મહેન્દ્ર કર્માનું મોત નિપજ્યું હતું અને પૂર્વ કેન્દ્રિય મંત્રી વિદ્યાચરણ શુક્લ તથા અન્ય 19 લોકો ઘાયલ થયા છે.

જ્યારે નક્સલીઓ છત્તીસગઢના બસ્તર જિલ્લામાં જગદલપુર નજીક દરબા ઘાટીના ઘોર જંગલોમાં કોંગ્રેસ નેતાઓને ટાર્ગેટ બનાવી હુમલો કર્યો હતો જેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી વિદ્યાચરણ શુક્લ અને અન્ય લોકો ગઇકાલે તે સમયે ઘાયલ થયા હતા. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની સંબંધિત એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ રાજકારણ રમવાનો સમય નથી. આ દુખદ ઘટના છે અને અમે બધા એકસાથે ઉભા રહીશું. ઇજાગ્રસ્તોને અહીંના રામકૃષ્ણ કેયર હોસ્પિટલમાં સારવાર ચાલું છે.

English summary
Congress Vice President Rahul Gandhi on Sunday termed the Maoist attack on his party leaders as not an attack on Congress but an attack on democracy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X