પંચાયતોને મજબૂત બનાવવાની જરૂરિયાત: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણે યાદ રાખવું જોઇએ કે પંચાયતનો ઉદ્દેશ્ય પ્રશાસનનું વિકેન્દ્રીકરણ કરવાનું છે, જેના થકી લોકોને શાસનવ્યવસ્થા જાતે ચલાવવાનો અધિકાર મળી શકે.
અમે વચન આપીએ છીએ કે આ દિશામાં રાજ્ય સરકારોની દરેક સંભવ મદદ કરશે, જેથી વિકાસ પ્રક્રિયા વ્યાપક અને સતત બની છે. તેમણે જણાવ્યું કે આ પંચાયતોને મજબૂત બનાવવાના ઉદેશ્યથી 12મી પંચવર્ષીય યોજનામાં 11મી પંચવર્ષીય યોજનાની તુલનામાં લગભગ 10 દસ ગણા વધારે બજેટનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.
12મી પંચવર્ષીય યોજનામાં પંચાયતો માટે 6,437 કરોડ રૂપિયાના બજેટ ફાળવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 11મી પંચવર્ષિય યોજનામાં 668 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દુનિયાભરમાં શોધકર્તાઓએ જાણ્યું છે કે સામાજિક તથા આર્થિકરીતે પછાત વર્ગોને વિકાસની પ્રક્રિયામાં સામેલ કરવાથી સારું પરિણામ આવ્યું છે.












Click it and Unblock the Notifications
