Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nepal Aircraft Crash : ભારતીય દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

નેપાળમાં રવિવારના રોજ એક પ્લેન ક્રેશ થયું હતું. જે બાદ રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ વચ્ચે ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે. આ વિમાનમાં કુલ 72 લોકો સવાર હતા, જેમાંથી 5 ભારતીય છે.

Nepal Aircraft Crash : નેપાળમાં રવિવારના રોજ એક પ્લેન ક્રેશ થયું હતું. જે બાદ રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ વચ્ચે ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 40 લોકોના મૃતદેહો મળ્યા છે. આ વિમાનમાં કુલ 72 લોકો સવાર હતા, જેમાંથી 5 ભારતીય છે.

Nepal Aircraft Crash

રવિવારના રોજ નેપાળના પોખરામાં વિમાન દુર્ઘટના ઘટી હતી, જ્યાં યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ વિમાનમાં 68 મુસાફરો સહિત કુલ 72 લોકો સવાર હતા. આ ઘટના બાદ તરત જ મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિમાનમાં 5 ભારતીય યાત્રીઓ પણ હોવાની મહિતી મળી છે, આવી સ્થિતિમાં કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.

દૂતાવાસના અધિકારીઓના જણાવ્યા, અનુસાર તેઓ નેપાળ પ્રશાસનના સતત સંપર્કમાં છે. ઘટના બાદ ચાલી રહેલા બચાવ કાર્ય પર નજર રાખવામાં આવી રહી છે, જે પણ જરૂરી હશે, તે ભારત તરફથી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

એમ્બેસીએ એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

  • કાઠમંડુ : દિવાકર શર્મા : +977-9851107021
  • પોખરા : લે. કર્નલ શશાંક ત્રિપાઠી : +977-9856037699

વિમાનમાં સવાર હતા 11 વિદેશી નાગરિકો

વિમાનમાં સવાર હતા 11 વિદેશી નાગરિકો

નેપાળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં 53 નેપાળી, પાંચ ભારતીય, ચાર રશિયન, એક આઇરિશ નાગરિક, બે કોરિયન, એકઆર્જેન્ટિના અને એક ફ્રેન્ચ નાગરિક હતા.

આ તમામ દેશોની એમ્બેસીઓને જાણ કરવામાં આવી છે. તેમજ તેમને સતત અપડેટ કરવામાં

આવી રહ્યા છે.

કેવી રીતે થયો અકસ્માત?

કેવી રીતે થયો અકસ્માત?

પોખરા એરપોર્ટ પર લેન્ડિંગના 10 સેકન્ડ પહેલા આ પ્લેન ક્રેશ થયું હતું. આ એરપોર્ટનું નિર્માણ ગયા વર્ષે પૂર્ણ થયું હતું. જે બાદ 1જાન્યુઆરી, 2023ના રોજ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય બાબત છે કે,નેપાળે ચીનની મદદથી આ એરપોર્ટ તૈયાર કર્યું હતું. ઉદ્ઘાટન બાદ કેટલીક ડેમો ફ્લાઈટ્સ પણ કરવામાં આવી હતી, જે સંપૂર્ણ રીતે સફળરહી હતી.

5 સભ્યોની ટીમને સોંપાઈ તપાસ

5 સભ્યોની ટીમને સોંપાઈ તપાસ

આ ઘટના બાદ તરત જ નેપાળના વડાપ્રધાને તેમના કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ સાથે જ ત્યાં એક દિવસનો રાષ્ટ્રીયશોક જાહેર કરવામાં આવ્યો છે.

આવા સમયે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી, જેટૂંક સમયમાં નેપાળ સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે. આ અકસ્માતનું ચોક્કસ કારણ હજૂ સુધી જાણી શકાયું નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X