Nepal Aircraft Crash : ભારતીય દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
નેપાળમાં રવિવારના રોજ એક પ્લેન ક્રેશ થયું હતું. જે બાદ રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ વચ્ચે ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે. આ વિમાનમાં કુલ 72 લોકો સવાર હતા, જેમાંથી 5 ભારતીય છે.
Nepal Aircraft Crash : નેપાળમાં રવિવારના રોજ એક પ્લેન ક્રેશ થયું હતું. જે બાદ રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ વચ્ચે ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 40 લોકોના મૃતદેહો મળ્યા છે. આ વિમાનમાં કુલ 72 લોકો સવાર હતા, જેમાંથી 5 ભારતીય છે.

રવિવારના રોજ નેપાળના પોખરામાં વિમાન દુર્ઘટના ઘટી હતી, જ્યાં યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ વિમાનમાં 68 મુસાફરો સહિત કુલ 72 લોકો સવાર હતા. આ ઘટના બાદ તરત જ મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિમાનમાં 5 ભારતીય યાત્રીઓ પણ હોવાની મહિતી મળી છે, આવી સ્થિતિમાં કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
દૂતાવાસના અધિકારીઓના જણાવ્યા, અનુસાર તેઓ નેપાળ પ્રશાસનના સતત સંપર્કમાં છે. ઘટના બાદ ચાલી રહેલા બચાવ કાર્ય પર નજર રાખવામાં આવી રહી છે, જે પણ જરૂરી હશે, તે ભારત તરફથી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
એમ્બેસીએ એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
- કાઠમંડુ : દિવાકર શર્મા : +977-9851107021
- પોખરા : લે. કર્નલ શશાંક ત્રિપાઠી : +977-9856037699

વિમાનમાં સવાર હતા 11 વિદેશી નાગરિકો
નેપાળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં 53 નેપાળી, પાંચ ભારતીય, ચાર રશિયન, એક આઇરિશ નાગરિક, બે કોરિયન, એકઆર્જેન્ટિના અને એક ફ્રેન્ચ નાગરિક હતા.
આ તમામ દેશોની એમ્બેસીઓને જાણ કરવામાં આવી છે. તેમજ તેમને સતત અપડેટ કરવામાં
આવી રહ્યા છે.

કેવી રીતે થયો અકસ્માત?
પોખરા એરપોર્ટ પર લેન્ડિંગના 10 સેકન્ડ પહેલા આ પ્લેન ક્રેશ થયું હતું. આ એરપોર્ટનું નિર્માણ ગયા વર્ષે પૂર્ણ થયું હતું. જે બાદ 1જાન્યુઆરી, 2023ના રોજ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય બાબત છે કે,નેપાળે ચીનની મદદથી આ એરપોર્ટ તૈયાર કર્યું હતું. ઉદ્ઘાટન બાદ કેટલીક ડેમો ફ્લાઈટ્સ પણ કરવામાં આવી હતી, જે સંપૂર્ણ રીતે સફળરહી હતી.

5 સભ્યોની ટીમને સોંપાઈ તપાસ
આ ઘટના બાદ તરત જ નેપાળના વડાપ્રધાને તેમના કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ સાથે જ ત્યાં એક દિવસનો રાષ્ટ્રીયશોક જાહેર કરવામાં આવ્યો છે.
આવા સમયે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી, જેટૂંક સમયમાં નેપાળ સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે. આ અકસ્માતનું ચોક્કસ કારણ હજૂ સુધી જાણી શકાયું નથી.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
