બાળકોને કોરોનાથી બચાવવા માટે આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન, ઘરમાં કરો 6 મિનિટનો વૉક ટેસ્ટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી બાળકોને સંભવિત કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા માટે આરોગ્ય ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.
નવી દિલ્લીઃ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે એક્સપર્ટનુ માનવુ છે કે આ લહેરની સૌથી વધુ અસર બાળકો પર થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી બાળકોને સંભવિત કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા માટે આરોગ્ય ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. આ ગાઈડલાઈન 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આરોગ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવી છે જેમાં વિસ્તારથી જણાવવામાં આવ્યુ છે કે બાળકોને કોરોનાથી બચાવવા માટે શું કરવુ જોઈએ અને શું ન કરવુ જોઈએ.

રેમડિસિવીરના ઉપયોગ પર રોક
આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે બાળકોને એંટીવાયરલ દવા રેમડેસિવિરના ઉપયોગનુ સૂચન આપવામાં નથી આવી રહ્યુ. આ ઉપરાંત બાળકોને સ્ટીરોઈડ ત્યારે જ આપવી જોઈએ જ્યારે તેની તબિયત વધુ ખરાબ થાય. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ માટે રેમડેસિવિરનુ સૂચન કરવામાં આવ્યુ નથી, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ દવાના ઉપયોગ માટે પૂરતા આંકડા હાજર નથી કે આ દવા બાળકો પર કેટલી અસરકારક કે સુરક્ષિત છે. આ સાથે જ સરકાર તરફથી બાળકોનો 6 મિનિટનો ટેસ્ટ કરવાનુ સૂચન કરવામાં આવ્યુ છે. જે બાળકો 12 વર્ષથી ઉપરના છે તેમને કાર્ડિયો પલ્મનરી એક્સરસાઈઝ કરવા માટે કહેવામાં આવ્યુ છે.
બાળકોને 6 મિનિટનો ટેસ્ટ
ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે બાળકોની આંગળી પર પલ્સ ઑક્સીમીટર લગાવીને તેને રૂમમાં જ 6 મિનિટ સુધી ચાલવા માટે કહેવામાં આવે. જો મીટર પર સેચ્યુરેશન 94 ટકાથી ઓછુ કે પછી 3-5 ટકાથી વધુ અંતર બતાડે કે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થાયતો તેમને હોસ્પિટલમાં ભરતી કરવા જોઈએ. જે બાળકોને અનિયંત્રિત અસ્થમા છે તેમણે આ ટેસ્ટ ન કરવો જોઈએ. જો બાળકોને ગંભીર કોવિડ તાવ હોય તો તેને તરત જ ઑક્સિજન થેરેપી આપવી જોઈએ. બાળકમાં ફ્લુડ અને ઈલેક્ટ્રોલાઈટને સંતુલિત કરવુ જોઈએ અને કોર્ટીકૉસ્ટેરાઈડ થેરેપી શરૂ કરી દેવી જોઈએ.
એસ્ટેરાઈડના ઉપયોગ માટે સલાહ
વાસ્તવમાં એસ્ટેરાઈડ તેમના માટે નુકશાનકારક છે જેમનામાં કોરોનાના લક્ષણ નથી દેખાતા કે પછી જેમને શરૂઆતનો કોરોના છે. બાળકોને હોસ્પિટલમાં ડૉક્ટરોના નિરીક્ષણમાં બહુ વધુ તબિયત ખરાબ થવા પર જ નિયંત્રિત માત્રામાં એસ્ટેરાઈડ આપવો જોઈએ. એક્સપર્ટનુ માનવુ છે કે એસ્ટેરાઈડનો ખોટો ઉપયોગ જ દેશમાં બ્લેક ફંગસના ફેલાવાનુ મહત્વનુ કારણ છે. જે બાળકો 5 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે તે માસ્ક નથી પહેરી શકતા અને બાળકો 6થી 11 વર્ષના છે તેમણે માતાપિતાની દેખરેખમાં માસ્ક પહેરવુ જોઈએ.
ડૉક્ટરોને સલાહ
આ ઉપરાંત ડૉક્ટરોને પણ આ ગાઈડલાઈનમાં અમુક સલાહ આપવામાં આવી છે. ડૉક્ટરોને સલાહ આપવામાં આવી છે કે બાળકોનો ઈલાજ કરી રહેલા ડૉક્ટરોએ હાઈ રિઝોલ્યુશન સીટી સ્કેન કરાવતા પહેલા વિચારવુ જોઈએ અને અપરિહાર્ય સ્થિતિમાં જ આવુ કરવુ જોઈએ. બ્લેક ફંગસથી મૃત્યુદરને રોકવા માટે ડૉક્ટરોને કહેવામાં આવ્યુ છે કે તે આને ઈમરજન્સીની જેમ જુએ અને તરત જ ઈલાજ શરૂ કરે, તે કલ્ચના રિપોર્ટની રાહ ન જુએ.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
