સરકારના 3 વર્ષ પૂરાં, નવા નારા સાથે મેદાનમાં મોદી
કેન્દ્રની મોદી સરકારે ત્રણ વર્ષ પૂરા થયા બાદ એક નવો નારો આપ્યો છે, 'સાથ હે, વિશ્વાસ હે, હો રહા વિકાસ હે'.
કેન્દ્રની મોદી સરકારે ત્રણ વર્ષ પૂરા થયા બાદ એક નવો નારો આપ્યો છે, 'સાથ હે, વિશ્વાસ હે, હો રહા વિકાસ હે'. નરેન્દ્ર મોદીની સરકાર આ નવા નારા સાથે જનતા સામે આવશે અને પોતાના કાર્યો અંગે જનતાને જાણકારી આપશે. ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ, રેડિયો અને ડીજિટલ મીડિયાના માધ્યમથી આ નારાનો પ્રચાર કરવામાં આવશે. અનેક અખબારોમાં આજે તમને મોદી સરકારનો આ નારો કે નવું સૂત્ર જોવા મળશે.

મોદી સરકાર દ્વારા તેમના આ નવા નારાનું પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં નીચે કેન્દ્ર સરકારના કાર્યોના વખાણ પણ કરવામાં આવ્યા છે. હવે આ નારા સાથે ભાજપના નવા નેતા, સાંસદ, ધારાસભ્ય અને અને સરકારના મંત્રી જનતા વચ્ચે આવશે. મોદી સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થતા મોદી ફેસ્ટ પણ ઉજવવામાં આવી રહ્યો છે. મોદી ફેસ્ટ હેઠળ દેશભરમાં ભાજપના નેતાઓ ફરશે અને જનતાના સરકારના કાર્યો અંગે જાણકારી આપશે. કેન્દ્ર સરકારના આ નવા નારાને જનતા સામે મુકવા પીએમ મોદી તથા ભાજપના નેતાઓ ટ્વીટ કરી રહ્યાં છે.
साथ है, विश्वास है...हो रहा विकास है! pic.twitter.com/uWtw6WbCmD
— Narendra Modi (@narendramodi) May 26, 2017
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય એક ટ્વીટ કર્યું છે. તેમણે લોકો પાસે સરકાર અને તેની કામગીરી અંગેનો અભિપ્રાય માંગ્યો છે. આ સાથે જ તેમણે સર્વેની એક લિંક પોસ્ટ કરી છે, જેની પર ક્લિક કરી મોદી એપ થકી તમે સરકારની કામગીરી અંગેના વિચારો જણાવી શકો છે અને તમારા સલાહ-સૂચનો આપી શકો છો.
What do you feel about the Govt? Where have we done well & where can we do even better. Join this survey on NM App. https://t.co/TYuxNNJfIf
— Narendra Modi (@narendramodi) May 26, 2017
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ વડાપ્રધાન પદની શપથ લીધી હતી. કેન્દ્ર સરકારના બે વર્ષ પૂર્ણ થયા ત્યારે પણ એક નવું સૂત્ર આપવામાં આવ્યું હતું, 'મેરા દેશ બદલ રહા હે, આગે બઢ રહા હે'.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
