કોરોનાનું નવું વેરિઅન્ટ મોટો ખતરો, સરકાર ટીકાકરણ મુદ્દે ગંભીર નહીં : રાહુલ ગાંધી
સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે બે વર્ષથી લાંબી લડાઈ લડી રહ્યું છે, પરંતુ હજુ સુધી આ યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું.
નવી દિલ્હી, 27 નવેમ્બર : સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે બે વર્ષથી લાંબી લડાઈ લડી રહ્યું છે, પરંતુ હજુ સુધી આ યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. એક તરફ કોરોના સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું તો બીજી તરફ વાયરસના બદલાતા સ્વભાવે ડોકટરો સહિત લોકોના ટેન્શનમાં વધારો કર્યો છે. આ દરમિયાન ફરી એકવાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું છે કે કોરોનાને લઈને ચિંતા છે. તાજેતરમાં WHO સમિતિએ કોરોના વાયરસના નવા વેરિઅન્ટને ઓમિક્રોન નામ આપ્યુ છે, જે અત્યંત ચેપી છે. જેના પર હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કોરોનાના નવા સ્ટ્રેન અને રસીકરણને લઈને ગંભીર ન હોવાનો આરોપ લગાવ્યો છે.
ફરી એકવાર કોરોનાને લઈને ચિંતા વધવાના સમાચાર આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાના નવા સ્ટ્રેન B.1.1.529 વેરિઅન્ટને ચિંતાનો વિષય ગણાવ્યો છે. તેને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે, ત્યારબાદ હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર રસીકરણમાં ગંભીર ન હોવાનો આરોપ લગાવતા કેટલાક આંકડા શેર કર્યા છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે ,નવું વેરિઅન્ટ ગંભીર ખતરો છે. આ સમયમાં ભારત સરકારે રસીકરણ માટે ગંભીર બનવું પડશે. સરકારે આપણા દેશવાસીઓને વેક્સિન સુરક્ષા આપવા માટે ગંભીર બનવું પડશે. આ સાથે રાહુલ ગાંધીએ રસીકરણના આંકડા શેર કરતા મોદી સરકાર પર નિશાન સાધતા લખ્યું કે વ્યક્તિની તસવીર પાછળ રસીકરણના ખરાબ આંકડા લાંબા સમય સુધી છુપાવી શકાય નહીં.
New variant is a serious threat.
— Rahul Gandhi (@RahulGandhi) November 27, 2021
High time GOI gets serious about providing vaccine security to our countrymen.
Bad vaccination figures can’t be hidden for long behind one man’s photo. #Omicron pic.twitter.com/3J7E8TEwXT
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કોરોનાના ઘણા પ્રકારો સામે આવ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોરોના વાયરસના ડેલ્ટા પ્રકારે યુરોપ અને અમેરિકાના ઘણા ભાગોમાં હોબાળો મચાવ્યો હતો. હવે આ નવા વેરિઅન્ટે ભારતમાં ચિંતા વધારી છે.