News in Brief : ગુજરાતની સરકારી શાળાઓમાં મોદીનો ફોટો મૂકવા સૂચના
News in Brief : 2 August 2014., ન્યુઝ ઇન બ્રિફ : 2 ઓગસ્ટ, 2014
આજના લેટેસ્ટ ન્યુઝ જાણવા પેજ રિફ્રેશ કરતા રહો...
07.30pm : ગુજરાતના સરકારી શાળાઓના દરેક વર્ગખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર રાખવાનો એક પરિપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મોકલી આપવામાં આવ્યો છે.
07.07pm : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરમાં આજે યોજાયેલા ત્રીજા પદવીદાન સમારંભમાં 161 વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે લાર્સન એન્ડ ટુબ્રોના સીઇઓ કે વેંકટરમણન ઉપસ્થિત રહ્યા હતા.
06.30pm : આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુરતમાં અડાજણ વિસ્તાપ પાસે આવેલા તાપી રિવરફ્ર્ન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે સુરત એપીએમસીના ઓનલાઇન પોર્ટલને પણ લોન્ચ કર્યું હતું.
06.12pm : બીજી બેંકોના એટીએમમાંથી દર મહિને નિ:શુલ્ક ઉપાડ વ્યવહારની મર્યાદા પાંચથી ઘટાડીને હવે માત્ર બે વારક રી દેવામાં આવશે. જો કે નવો નિયમ ક્યારથી અમલી બનશે તે અંગે કોઇ સ્પષ્ટતા આપવામાં આવી નથી.
2.56am: યુપીએસસીની પરીક્ષાથી સિવિલ સર્વિસેઝ એપ્ટીટ્યૂડ ટેસ્ટ (સી.ટેટ) દૂર કરવાની માંગને લઇને શનિવારે એનએસયૂઆઇના કાર્યકર્તાઓએ ભારે સંખ્યામાં કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહ ઘરની બહાર પ્રદર્શન કર્યું.
11.50am: સીડબ્લ્યૂજીમાં 2014ની પદક વિજેતા લજ્જા ગૌસ્વામીનું અમદાવાદ એરપોર્ટ ઉષ્માભેર સ્વાગત કરાયું
11.15am: આમિરનું ન્યૂડ પોસ્ટર રીલિઝ થયાના બીજા દિવસે વિરોધ જોવા મળી રહ્યો છે. 'PK'નાં ન્યૂડ પોસ્ટર મામલે આમિર ખાન વિરૂદ્ધ કાનપુરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
11.00am: કેશોદ-દ્વારકામાં મેધરાજા વરસ્યા, 19 ઇંચ વરસાદ, અનેક ગામોમાં બેટમાં ફેરવાતાં જનજીવન પર અસર
11.45am: શ્રીલંકાએ પોતાના રક્ષા મંત્રાલયની વેબસાઇટ પર પ્રકાશિત એક વિવાદિત લેખ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની બિનશરતી માફી માંગી છે. આ લેખનું શીર્ષક 'How meaningful are Jayalalitha's love letters to Narendra Modi?' હતું. ભારતના વિદેશ મંત્રાલયે તેની સામે વાંધો ઉઠાવતા શ્રીલંકા સરકારે તાત્કાલિક અસરથી તેને દૂર કર્યો હતો.
10.13am : UPSC મુદ્દે રાજનાથ સિંહના ઘરે દેખાવો, પ્રદર્શનકારીઓની પોલીસ દ્વારા ધરપકડ
10.10am : ગુજરાતમાં લેન્ડ રેકોર્ડની કોપીઓ વર્ષમાં એકવાર તલાટીઓને આપવામાં આવશે.
10.02am : આંધ્ર બેંક વર્ષ 2016 સુધીમાં ગુજરાતમાં 100 શાખાઓ ખોલશે.
09.55am : ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સિવિલ સર્વિસીસની પરીક્ષા આપનારી છોકરીઓને માટે રોકડ પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી.
09.35am : પુના જમીન ધસવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક 70ને પાર, બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ.
09.15am : ઓમર અબ્દુલ્લાના યુટર્ન મુદ્દે શ્રીનગરમાં અલગતાવાદીઓ દ્વારા બંધનું એલાન.
08.35am : મુર્શીદાબાદના જગંગીરપુરામાં આવેલી સરકારી હોસ્પિટલમાં 9 બાળકોના મોત થયા, 6 બાળકોના મોતનું કારણ શ્વાસ લેવામાં તકલીફ.
08.00am : જ્યોતિ મર્ડર કેસમાં કાનપુર સર્કલ ઓફિસરે હત્યારા પ્રત્યે સહાનુભૂતિ દાખવતા લોકોમાં આક્રોશ.