પીએનબી ઘોટાળો: ઈડીએ નીરવ મોદીની 637 કરોડની સંપત્તિ જપ્ત કરી
પંજાબ નેશનલ બેંકને 13500 કરોડનો ચૂનો લગાવીને ફરાર થયેલા નીરવ મોદી પર સિકંજો કસવામાં આવી રહ્યો છે.
પંજાબ નેશનલ બેંકને 13500 કરોડનો ચૂનો લગાવીને ફરાર થયેલા નીરવ મોદી પર સિકંજો કસવામાં આવી રહ્યો છે. ઈડી ઘ્વારા નીરવ મોદી પર મોટી કાર્યવાહી કરીને 5 દેશોમાં તેની 637 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. સિંગાપુર, લંડન સહીત પાંચ દેશોમાં તેની સંપત્તિ જપ્ત કરી દેવામાં આવી છે. નીરવ મોદી પર ઘોટાળાનાં પૈસાથી સંપત્તિ ખરીદવાની શંકા છે.
637 કરોડની સંપત્તિ જપ્ત
ઈડી ઘ્વારા નીરવ મોદીની 637 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, તેમાં નીરવ મોદીના 5 વિદેશી બેંક ખાતામાં જમા 278 કરોડ રૂપિયા પણ શામિલ છે. 22.69 કરોડ રૂપિયાના ડાયમંડ ઘરેણાં હોંગકોંગથી ભારત લાવવામાં આવ્યા છે. ઈડી ઘ્વારા જે સંપત્તિ અટેચ કરવામાં આવી છે તેમાં 19.5 કરોડનો મુંબઇનો એક ફ્લેટ પણ શામિલ છે.
પીએનબી ઘોટાળાનો આરોપી છે નીરવ મોદી
બ્લૂમ્બેર્ગ રિપોર્ટ અનુસાર નીરવ મોદીએ વર્ષ 2011 થી 2017 વચ્ચે કુલ 21.38 કરોડ ડોલરના નકલી બિલ તૈયાર કર્યા. જેના આધાર પર લેટર ઓફ અન્ડરટેકિંગ ઘ્વારા નીરવ મોદીએ એક મોટી રમત રમી. તેને આ સમયગાળા દરમિયાન બિલોને શોર્ટ ટર્મ લોન લેવા માટે પંજાબ નેશનલ બેન્કને આપ્યા અને લોન પાસ કરાવી લીધી. નીરવ મોદીએ વેચાણમાં તેઝીના નામ પર ફક્ત ભારતીય બેંકો જ નહીં પરંતુ ભારત બહાર પણ લગભગ 4 અરબ ડોલરની લોન લીધી.
|
ઘોટાળાનાં પૈસાથી સંપત્તિ ખરીદવાની શંકામાં કાર્યવાહી
અમેરિકામાં નીરવ મોદીની કંપનીનો ફેડએક્સ સાથે કરાર હતો. તેની ફર્મ આ કંપનીની મદદથી હીરા એક્સપોર્ટ કરતી હતી. તેમાં 17 લાખ ડોલરની કિંમતનો પણ એક હીરો હતો પરંતુ ફેડએક્સ ઘ્વારા ફક્ત 1.5 લાખ ડોલરનું ઇન્સ્યોરન્સ કરવામાં આવ્યું. કિંમતમાં આટલું બધું અંતર જણાવે છે કે નીરવ મોદી કેવી રીતે તેનો ગોરખધંધો ચલાવતો હતો.