Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નીરવ મોદીનો ઈડીને જવાબ, ‘સરેન્ડર કરવા ભારત આવ્યો તો ભીડ મારી નાખશે'

નીરવ મોદીએ ઈડીને લખ્યુ છે કે તે ભારત પાછો નહિ આવી શકે કારણકે ભારત પાછા આવવા પર તેને પોતાની મોબ લિંચિંગ થઈ જવાનો ડર છે.

નીરવ મોદીએ ઈડીને લખ્યુ છે કે તે ભારત પાછો નહિ આવી શકે કારણકે ભારત પાછા આવવા પર તેને પોતાની મોબ લિંચિંગ થઈ જવાનો ડર છે. કથિત રીતે પંજાબ નેશનલ બેંકમાં 13 હજાર કરોડથી વધુનું ફ્રોડ કરીને ભાગી ગયેલ મોદીને ઈડીએ મેઈલ મોકલીને સરેન્ડર કરવા કહ્યુ હતુ. પોતાના જવાબમાં સુરક્ષા કારણોને હવાલો આપીને તેણે સરેન્ડર કરવાનો ઈનકાર કરી દીધો છે.

nirav modi

નીરવે ઈડીને કહ્યુ છે, 'ભારતમાં પોતાનું પૂતળુ બળતુ જોઈને અને મને મળી રહેલી ધમકીઓથી ડરી ગયો છુ. તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓને વેતન આપવામાં આવ્યુ નથી. જે મકાનમાં તે રહેતો હતો તેનું ભાડુ બાકી છે. આ બધાએ તેને ધમકીઓ આપી છે. તો હું કેવી રીતે પાછુ જઈ શકુ છુ.'

તમને જણાવી દઈએ કે નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી સામે 24 મે અને 26 મેના રોજ આરોપપત્ર દાખલ કરવામાં હતા. બંને સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યા છે. ઈન્ટરપોલે પણ બંને સામે રેડ કોર્નર નોટિસ જારી કરી છે. વળી, નીરવ મોદીના વકીલ વી અગ્રવાલે જણાવ્યુ કે ઈડીએ પીએમલએ કોર્ટમાં તેમના ક્લાઈન્ટને ભાગેડુ ઘોષિત કરવાની માંગ કરી તેના પર જણાવ્યુ કે તે ભારત છોડીને નથી ભાગ્યા પરંતુ મોદી નિયમિત વિઝા અને પાસપોર્ટ લઈને વિદેશ ગયા હતા. અગ્રવાલે જણાવ્યુ કે તેમના ક્લાઈન્ટને ફ્રોડ મામલાનું પોસ્ટર બોય બનાવી દેવામાં આવ્યા છે. ભારતમાં મોબ લિચિંગની ઘટનાઓ અને પોતાના પૂતળા ફૂંકાવા અંગે તેમને સીબીઆઈ અને બીજી એજન્સીઓને પોતાની વાત કહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X