VIDEO: નીરવ મોદીનો 100 કરોડનો બંગલો ડાયનામાઈટથી ઉડાવાયો
પંજાબ નેશનલ બેંકને 13700 કરોડ રૂપિયાનો ચૂનો લગાવનાર ભાગેડુ નીરવ મોદીના અલીબાગ સ્થિત આલીશાન બંગલાને તોડીને જમીનદોસ કરી દેવામાં આવ્યો છે.
પંજાબ નેશનલ બેંકને 13700 કરોડ રૂપિયાનો ચૂનો લગાવનાર ભાગેડુ નીરવ મોદીના અલીબાગ સ્થિત આલીશાન બંગલાને તોડીને જમીનદોસ કરી દેવામાં આવ્યો છે. અલીબાગ સ્થિત કિહિમ બીસ પર બનેલા નીરવ મોદીના કરોડોના ગેરકાયદેસર બંગલાને આજે ડાયનામાઈટથી ધ્વસ્ત કરી દેવામાં આવ્યો અને આ રીતે નીરવ મોદીનો 100 કરોડનો આલીશાન બંગલો જોતજોતામાં ખંડેરમાં ફેરવાઈ ગયો. કિહિમ બીચ પાસે બનેલા આ બંગલાને તોડવાનું બીજુ ચરણ મંગળવારે શરૂ થયુ હતુ.

પહેલા બંગલાના એ ઢાંચાને તોડી પાડવામાં આવ્યો જેમાં કાંચ લાગેલા હતા. 25 જાન્યુઆરીથી બંગલાને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને આ દરમિયાન ઘણી દિવાલો પડી ગઈ. બંગલાને તોડવામાં પ્રશાસનને ઘણી મહેનત કરવી પડી અને અંતમાં આને ડાયનામાઈટથી તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો. કહેવામાં આવે છે કે વર્ષ 2011માં 376 વર્ગમીટરમાં બંગલો બનાવવાની મંજૂરી મળી હતી પરંતુ નીરવ મોદીએ નિયમોને નેવે મૂકીને 1081 વર્ગમીટરમાં આનુ નિર્માણ કરાવ્યુ હતુ.
ઘણા બેડરૂમ અને હૉલવાળા આ આલીશાન બંગલામાં ફર્સ્ટ ફ્લોર પર સ્વીમિંગ પુલ પણ હતો. બૉમ્બે હાઈકોર્ટે આ બંગલાને તોડવાનો આદેશ આપી દીધો હતો. તમને જણાવી દઈએ કે આ એ જ બંગલો છે જ્યાં નીરવ મોદી આલીશાન પાર્ટીઓનું આયોજન કરતો હતો. નીરવે ગયા મહિને વિશેષ અદાલતને જવાબ મોકલીને કહ્યુ હતુ કે સુરક્ષા કારણોથી તે ભારત નહિ આવી શકે.
સીબીઆઈ અને ઈડી નીરવ મોદી સામે આરોપોની તપાસ કરી રહ્યા છે. ઘણી વાર કોર્ટ તેને હાજર થવા માટે આદેશ આપી ચૂક્યુ છે પરંતુ નીરવ મોદી વારંવાર કોઈને કોઈ કારણસર બહાનુ બનાવતો રહે છે. આરોપ છે કે નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકમાં લગભગ 13700 હજાર કરોડ રૂપિયાના નાણાંકીય ગોટાળાને અંજામ આપ્યો. આ ગોટાલા બાદ બંને દેશ છોડે ભાગી ગયા હતા. નીરવને છેલ્લી વાર લંડનમાં જોવામાં આવ્યો હતો જ્યારે મેહુલ ચોક્સીએ એંટીગુઆની નાગરિકતા લઈ લીધી છે.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
