નીરવ મોદીએ 12 જૂને ભારતીય પાસપોર્ટ પર કરી યાત્રા, અડધો ડઝન ભારતીય પાસપોર્ટ રાખવાનો કેસ
કહેવામાં આવી રહ્યુ હતુ કે નીરવ ક્યાંય પણ યાત્રા કરવા માટે સિંગાપોરના પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યો છે. હવે એક સમાચાર આવી રહ્યા છે કે નીરવ મોદીએ ભારતીય પાસપોર્ટ પર પણ યાત્રા કરી હતી.
પંજાબ નેશનલ બેંક ગોટાળાના આરોપી નીરવ મોદી વિશે કહેવામાં આવી રહ્યુ હતુ કે તે બ્રિટનથી બ્રસેલ્સ ભાગી ગયો છે. એક અંગ્રેજી વર્તમાનપત્રમાં છપાયેલ સમાચાર મુજબ નીરવ મોદી મંગળવાર કે બુધવારે બ્રસેલ્સ પહોંચ્યો. નીરવ મોદી વિશે આ પહેલા સમાચાર આવ્યા હતા કે તેણે બ્રિટનમાં શરણ લીધી છે. વળી, એ પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે નીરવ ક્યાંય પણ યાત્રા કરવા માટે સિંગાપોરના પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યો છે. હવે એક સમાચાર આવી રહ્યા છે કે નીરવ મોદીએ ભારતીય પાસપોર્ટ પર પણ યાત્રા કરી હતી.

12 જૂને ભારતીય પાસપોર્ટ પર યાત્રાના સમાચાર
સમાચારો મુજબ નીરવ મોદીએ 12 જૂને ભારતીય પાસપોર્ટ પર યાત્રા કરી હતી. નીરવ મોદી યુરોસ્ટાર હાઈ સ્પીડ ટ્રેન દ્વારા બ્રિટનની રાજધાની લંડનથી બેલ્જિયમના બ્રસેલ્સ ભાગી ગયો હતો. સૂત્રોએ જણાવ્યુ કે નીરવ મોદીએ 12 જૂને પ્લેનની જગ્યાએ ટ્રેનથી યાત્રાને પ્રાથમિકતા આપી હતી. તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ નીરવ મોદીનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો હતો જ્યારે સીબીઆઈએ 11 જૂને ઈન્ટરપોલને રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે અનુરોધ કર્યો હતો. આ મામલે ચાર્જશીટ ના હોવાના કારણે ઈન્ટરપોલે નોટિસ જારી કરી નહોતી. હાલમાં જ નીરવ મોદી મામલે ઈન્ટરપોલની મદદ માંગવામાં આવી હતી એટલા માટે નીરવ મોદીએ તેનો ફાયદો ઉઠાવ્યો અને બ્રસેલ્સ સુધીની યાત્રા ટ્રેનથી કરી.

ઈન્ટરપોલને તપાસ એજન્સીઓ દ્વારા ડિટેલ આપવામાં આવી રહી છે
પાસપોર્ટ રદ થયા બાદ પણ નીરવ મોદીના યાત્રા કરવા પર વિદેશ મંત્રાલયના એક પ્રવકતાએ જણાવ્યુ કે તપાસ એજન્સીના કહેવાથી જ માલૂમ પડ્યુ કે તે કેવી રીતે ભારતીય પાસપોર્ટ પર યાત્રા કરી રહ્યો છે. આ મામલે અધિકારીઓનું કહેવુ છે કે નીરવના પાસપોર્ટ રદ કરવા અને તેની યાત્રા પર પ્રતિબંધ અંગે ઈન્ટરપોલને તપાસ એજન્સીઓ દ્વારા બધી ડિટેલ આપવામાં આવી રહી છે. જ્યારે બ્રસેલ્સમાં પણ ભારતીય અધિકારીઓએ બેંકના અધિકારીઓને નીરવ મોદી મામલે જાણકારી આપતા તેની બધી નાણાંકીય લેવડદેવડ રોકવા માટે કહ્યુ છે.

નીરવ મોદી પાસે અડધો ડઝન પાસપોર્ટ
સૂત્રો અનુસાર નીરવ મોદી પાસે અડધો ડઝન પાસપોર્ટ છે અને હવે આ મામલે નવી એફઆઈઆર નોંધવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે એક પાસપોર્ટ પર નીરવનું પૂરુ નામ છે જ્યારે બીજા પર માત્ર પહેલુ નામ છે. આના પર 40 મહિના માટે યુકેનો વિઝા પણ આપવામાં આવ્યો છે. જો કે વિદેશ મંત્રાલય આ અંગે ઈન્ટરપોલ પાસેથી જાણકારી મેળવી રહ્યા છે કે સરકાર દ્વારા પાસપોર્ટ રદ કરવા છતાં તે એક દેશથી બીજા દેશની યાત્રા કેવી રીતે રહ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
