Nirbhaya Case: નિર્ભયાના ગુનેગારોએ હજુ સુધી અંતિમ ઈચ્છા નથી જણાવી
Nirbhaya Case: નિર્ભયાના ગુનેગારોએ હજુ સુધી અંતિમ ઈચ્છા નથી જણાવી
નવી દિલ્હીઃ નિર્ભયા મામલામા દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા જાહેર કરાયેલ ડેથ વોરન્ટ મુજબ આગામી 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે દિલ્હીની તિહાર જેલ સંખ્યા-3માં ચારેય દોષિતોને ફાંસી આપવામાં આવશે. આના માટે જેલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ગુનેગારોને ફાંસી પર લટકાવવા માટે 30 જાન્યુઆરીએ જલ્લાદ પવન મેરઠથી આવી રહ્યા છે, ફાંસી આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, અહેવાલ મુજબ જેલ પ્રશાસને ફાંસી માટે નિર્ધારિત નિયમો મુજબ નિર્ભયાના ગુનેગારોને આ દરમિયાન અંતિમ ઈચ્છા પૂછી છે.
હજી સુધી અંતિમ ઈચ્છા નથી જણાવી
પરંતુ મીડિયા સૂત્રો મુજબ ચારેય દોષિત અક્ષય સિંહ ઠાકોર, મુકેશ કુમાર સિંહ, વિનય કુમાર શર્મા અને પવન ગુપ્તામાંથી કોઈએ પોતાની અંતિમ ઈચ્છાને લઈ કોઈ ઉલ્લેખ કર્યો નથી, અને આ ચારેયમાંથી એકેય આરોપીએ પોતાની સંપત્તિની વહેંચણીને લઈને પણ કોઈ વાત નથી કહી.
નિર્ભયાની મા નિરાશ થઈ
ઉલ્લેખનીય છે કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાની માની અપીલ પર 18 ડિસેમ્બરે ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી પર લટકાવવા માટે ડેથ વોરન્ટ જાહેર કર્યો હતો, પરંતુ ચારેય દોષિતોમાંથી એક દોષિત મુકેશની રાષ્ટ્રપતિ પાસે મોકલાયેલ દયા અરજીને કારણે કોર્ટે ફાંસી પર લટકાવવાની તારીખ 22થી આગળ વધારી 1 ફેબ્રુઆરી કરી દીધી, જેના પર નિર્ભયાની માતાએ નિરાશા વ્યક્ત કરી હતી.
એક દોષીનું મોત
ઉલ્લેખનીય છે કે નિર્ભયા ગેંગરેપ મામલે છ દોષિતોમાંથી એકનું જેલમાં જ મોત થઈ ગયું છે, જ્યારે એક સગીર દોષી સજા કાપી જેલથી બહાર આવી ચૂક્યો છે, 16 ડિસેમ્બર 2012ની રાતે થયેલ આ બર્બર ઘટનાથી દેશ સ્તબ્ધ રહી ગયો હતો, જટિલ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હવે આ મામલો પોતાના અંજામ સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે.
ગણતંત્ર દિવસની પરેડનુ ફૂલ રિહર્સલ આજે, દિલ્લીમાં આ રસ્તા બંધ