For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિતિન ગડકરીની પાકને ચેતવણી, આતંકવાદ ન છોડ્યો તો રોકી દઈશુ નદીઓનું પાણી

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક વાર ફરીથી પાકિસ્તાનને આતંકવાદ માટે ખુલ્લી ચેતવણી આપી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક વાર ફરીથી પાકિસ્તાનને આતંકવાદ માટે ખુલ્લી ચેતવણી આપી છે. નિતિન ગડકરીએ બુધવારે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યુ કે જો પાકિસ્તાન આતંકવાદનું સમર્થન ચાલુ રાખશે તો ભારત નદીઓનું પાણી રોકવામાં બિલકુલ સંકોચ નહિ કરે. તેમણે જણાવ્યુ કે કેન્દ્ર સરકાર પહેલેથી જ ભારતમાંથી પાકિસ્તાન જતી નદીઓનું પાણી રોકવાની યોજના બનાવી રહ્યુ છે એવામાં જો પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરવાનું ચાલુ રાખશે તો અમે પાકિસ્તાનમાં ભારતની નદીઓનું પાણી જવા દેવામાં બિલકુલ સંકોચ નહિ કરીએ.

Nitin Gadkari

ગડકરીએ આ નિવેદન અમૃતસરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરદીપ પુરી માટે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને સંબોધિત કરીને કહ્યુ. ગડકરીએ કહ્યુ કે સરકાર પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં છ ડેમ બનાવવાની યોજના બનાવી રહ્યુ છે. આમ કર્યા બાદ પાણીની બહુ મોટી સમસ્યાનું સમાધાન થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960થી જળ સંધિ છે જેનો આધાર બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સ્થિતિ છે. પરંતુ જો પાકિસ્તાનનો વર્તમાન આતંકવાદનો ચહેરો નહિ બદલાય તો એવી પરિસ્થિતિમાં ભારત પાકિસ્તાનમાં જતા પાણીને રોકવામાં બહુ વધારે વિચાર નહિ કરે.

નિતિન ગડકરીએ કહ્યુ કે આ નદીઓનું વધારાનું પાણી પંજાબ, હરિયાણાને આપવામાં આવશે, જ્યાં ખેતી માટે પાણીની સમસ્યાનું સમાધાન થશે. ભાજપની આગેવાનીમાં એનડીએ સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા નિતિન ગડકરીએ જણાવ્યુ કે મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષાં એટલુ કામ કર્યુ છે કે જે છેલ્લા પાંચ દશકમાં નથી થયુ. તેમણે કહ્યુ કે સરકાર ડબલ ડેકર બસ સેવા છ શહેરોમાં શરૂ કરવાની યોજના બનાવી રહી હતી, આ બસ સેવા અમૃતસર સહિત છ શહેરોમાં શરૂ થશે. એટલુ જ નહિ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર દિલ્લી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે બનાવવાની પણ યોજના બનાવી રહી છે કે જે અમૃતસરથી દિલ્લી વચ્ચેની મુસાફરીમાં લાગતા સમયને ચાર કલાક સુધી ઘટાડી દેશે.

આ પણ વાંચોઃ ચંદ્રબાબુ નાયડુનું પીએમ પદ વિશે મોટુ નિવેદન, આ નેતાઓને ગણાવ્યા મોદી કરતા સારા દાવેદારઆ પણ વાંચોઃ ચંદ્રબાબુ નાયડુનું પીએમ પદ વિશે મોટુ નિવેદન, આ નેતાઓને ગણાવ્યા મોદી કરતા સારા દાવેદાર

English summary
Nitin Gadkari says we wont hesitate to stop river water to pak if it supports terrorism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X