કર્ણાટકમાં સત્તા માટે કોઈ સમજૂતી નથી થઈ- ડીકે શિવકુમાર
કર્ણાટકમાં સત્તાને લઈને સમજૂતી થઈ હોવાના અહેવાલો વચ્ચે ડીકે શિવકુમારનું નિવેદન સામે આવ્યુ છે. ડીકે શિવકુમારને આ મામલે ખુલ્લીને વાત કરી છે.
ડીએ શિવકુમારે કોઈપણ સમજૂતીનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, પાર્ટીમાં કોઈએ પણ તેમની અને સીએમ સિદ્ધારમૈયાને સંડોવતા કોઈપણ સત્તા-વહેંચણી સમજૂતી અથવા ફોર્મ્યુલા વિશે વાત કરવી ન જોઈએ.

ડીકે શિવકુમારે રાજકિય સમજ સાથે કામ કરી રહ્યાં હોવાની વાત કરી અને કહ્યું કે, એવું કંઈ નથી. તેમનું આ નિવેદન સિદ્ધારમૈયાના નિવેદન બાદ આવ્યુ છે.
શિવકુમારનું નિવેદન, જે રાજ્ય કોંગ્રેસના વડા પણ છે, સિદ્ધારમૈયાએ તેમના દાવાને નકારી કાઢ્યાના દિવસો પછી આવે છે કે તેમની પાસે સત્તાની વહેંચણી કરાર છે.
શિવકુમારે કહ્યું કે, કોઈએ પણ કોઈપણ કરાર વિશે વાત ન કરવી જોઈએ. અમે બંને થોડી રાજકીય સમજ સાથે કામ કરી રહ્યા છીએ. મેં ક્યારેય કોઈ ફોર્મ્યુલા વિશે કહ્યું નથી.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીને કેટલીક જવાબદારી સોંપવામાં આવી છે અને મને કેટલીક જવાબદારી સોંપવામાં આવી છે. હું તે મુજબ કામ કરી રહ્યો છું. કોઈપણ ફોર્મ્યુલા વિશે કોઈને બોલવાની કોઈ જરૂર કે પરિસ્થિતિ નથી. મેં પહેલેથી જ કહ્યું છે કે મુખ્યમંત્રીએ જે કહ્યું છે તે અંતિમ છે અને આ મામલો પુરો સમાપ્ત થઈ ગયો છે.
જણાવી દઈએ કે, શિવકુમારે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે સત્તામાં આવતા પહેલા તેમની વચ્ચે એક કરાર થયો હતો, જેના પર સિદ્ધારમૈયાએ બુધવારે કહ્યું હતું કે આવી કોઈ સમજૂતી નથી અને તેઓ હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરશે. સિદ્ધારમૈયાની ટિપ્પણીનો જવાબ આપતા શિવકુમારે કહ્યું કે મુખ્યમંત્રી જે કહે તે અંતિમ હશે, તેમાં કોઈ વાંધો નથી.












Click it and Unblock the Notifications
