No Confidence Motion : અવિશ્વાસ પ્રસ્તાવને લઈને કોંગ્રેસનો ત્રણ લાઈનનો વ્હીપ જારી, ગુરૂવારે ચર્ચા થશેે
મણિપુરને સળગતુ છોડનારી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની બીજેપી સરકાર સામે વિપક્ષોમાં ભારે રોષનો માહોલ છે. આ સ્થિતીમાં વિપક્ષી પાર્ટીઓએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. આ નોટિસને મંજુરી મળતા જ કોંગ્રેસ વ્હીપ જારી કર્યો છે.
આ મુદ્દ વાત કરતા કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, આ કોંગ્રેસનો અવિશ્વાસ પ્રસ્તાવ નથી પરંતુ INDIA ના ઘટક દળો દ્વારા સામૂહિક રીતે લાવવામાં આવ્યો છે.

મનીષ તિવારીએ કહ્યું કે, મણિપુરમાં છેલ્લા 83-84 દિવસથી પ્રવર્તી રહેલી પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થા ભાંગી પડી છે અને સમુદાયો વચ્ચે વિભાજન થઈ રહ્યુ છે. ત્યાં સરકાર નામની કોઈ વસ્તુ નથી. આ તથ્યોએ અમને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પાડી છે.
મનીષ તિવારીએ આગળ કહ્યું કે, સવાલ સંખ્યાનો નથી પરંતુ નૈતિકતાનો છે. મૂળ પ્રશ્ન એ છે કે જવાબદાર કોણ? જ્યારે ગૃહમાં આના પર મતદાન થશે તો નૈતિકતાની કસોટી પર કોણ ઊભું છે તે નક્કી થશે. સવાલ દેશની સુરક્ષાનો છે. કોંગ્રેસના સાંસદો કાળા કપડા પહેરીને આવશે.
બીજી તરફ કોંગ્રેસે તેના રાજ્યસભાના સાંસદોને 27 જુલાઈએ સંસદમાં હાજર રહેવા ત્રણ લાઈનનો વ્હીપ જારી કર્યો છે. આવતીકાલે સંસદમાં વિપક્ષી ગઠબંધન INDIA નું શક્તિ પ્રદર્શન પણ જોવા મળી શકે છે. ગુરૂવારે વિપક્ષી સાંસદો મણિપુરના મુદ્દે પોતાનો વિરોધ નોંધાવવા માટે કાળા કપડા પહેરીને સંસદમાં પહોંચશે.
I.N.D.I.A के घटक दलों की सामूहिक मांग है कि सभी काम को एक तरफ रखते हुए कल ही इस प्रस्ताव के ऊपर, प्राथमिकता रखते हुए पर इस चर्चा होनी चाहिए: कांग्रेस सांसद मनीष तिवारी pic.twitter.com/oiMACXbhua
— ANI_HindiNews (@AHindinews) July 26, 2023
જણાવી દઈએ કે, કોંગ્રેસ સહિતના INDIA ગઠબંધનના તમામ વિપક્ષો સતત સંસદમાં હમલાવર અંદાજમાં જોવા મળી રહ્યા છે અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નિષ્ફળતા પર સતત આકરા પ્રહાર કરી રહ્યા છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
