કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે ઉત્તર પ્રદેશમાં કોઈ મોત નહીં - યોગી સરકાર
ઉત્તર પ્રદેશમાં કોરોનાની બીજા લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે કોઈ વ્યક્તિનું મોત થયું નથી. ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહે ગુરુવારના રોજ આ દાવો કર્યો હતો.
લખનઉ : ઉત્તર પ્રદેશમાં કોરોનાની બીજા લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે કોઈ વ્યક્તિનું મોત થયું નથી. ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહે ગુરુવારના રોજ આ દાવો કર્યો હતો. વાસ્તવમાં કોંગ્રેસના એમએલસી દીપક સિંહે વિધાન પરિષદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે થયેલા મૃત્યુ વિશે માહિતી માગી હતી, જેના જવાબમાં યોગી સરકારે આ વાત કહી છે.

એક લેખિત જવાબમાં આરોગ્ય પ્રધાન જય પ્રતાપ સિંહે કહ્યું કે, રાજ્યમાં કોરોનાને કારણે 22,915 મૃત્યુ થયા છે, પરંતુ ઓક્સિજનની અછતને કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી. આ અંગે સમાજવાદી પાર્ટીના સભ્ય ઉદયવીર સિંહે કહ્યું કે, આગ્રાની પારસ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે મૃત્યુના મામલામાં સરકારે કાર્યવાહી કરી છે. તો પછી સરકાર આ જુઠ્ઠાણું કેવી રીતે બોલી શકે.
આ પ્રશ્નના જવાબમાં ગૃહના નેતા દિનેશ શર્માએ કહ્યું કે, આ મોટી દુર્ઘટનામાં જે મોટી દુર્ઘટના થઈ શકે છે તેને રોકવા માટે તમે લોકોએ રાજ્ય સરકારના વખાણ કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાની બીજી લહેર એપ્રિલ અને જૂન વચ્ચે આવી હતી. આ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા. દેશના તમામ ભાગોમાં ઓક્સિજનની અછત હોવાના અહેવાલો હતા.
આટલું જ નહીં ઉત્તર પ્રદેશમાં ઓક્સિજન સિલિન્ડરના અભાવે હોબાળો થયો હતો. ઓક્સિજન માટે બધે લાઇનો લાગી હતી. કેટલીક હોસ્પિટલ્સમાં ઓક્સિજનના અભાવે મૃત્યુ થયાના અહેવાલો પણ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ સરકારના આ દાવા બાદ વિપક્ષ હોબાળો મચાવી શકે છે અને સરકારનું આ નિવેદન ચૂંટણી વર્ષમાં તેની મુશ્કેલી બની શકે છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
