કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે ઉત્તર પ્રદેશમાં કોઈ મોત નહીં - યોગી સરકાર
ઉત્તર પ્રદેશમાં કોરોનાની બીજા લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે કોઈ વ્યક્તિનું મોત થયું નથી. ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહે ગુરુવારના રોજ આ દાવો કર્યો હતો.
લખનઉ : ઉત્તર પ્રદેશમાં કોરોનાની બીજા લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે કોઈ વ્યક્તિનું મોત થયું નથી. ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહે ગુરુવારના રોજ આ દાવો કર્યો હતો. વાસ્તવમાં કોંગ્રેસના એમએલસી દીપક સિંહે વિધાન પરિષદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે થયેલા મૃત્યુ વિશે માહિતી માગી હતી, જેના જવાબમાં યોગી સરકારે આ વાત કહી છે.

એક લેખિત જવાબમાં આરોગ્ય પ્રધાન જય પ્રતાપ સિંહે કહ્યું કે, રાજ્યમાં કોરોનાને કારણે 22,915 મૃત્યુ થયા છે, પરંતુ ઓક્સિજનની અછતને કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી. આ અંગે સમાજવાદી પાર્ટીના સભ્ય ઉદયવીર સિંહે કહ્યું કે, આગ્રાની પારસ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે મૃત્યુના મામલામાં સરકારે કાર્યવાહી કરી છે. તો પછી સરકાર આ જુઠ્ઠાણું કેવી રીતે બોલી શકે.
આ પ્રશ્નના જવાબમાં ગૃહના નેતા દિનેશ શર્માએ કહ્યું કે, આ મોટી દુર્ઘટનામાં જે મોટી દુર્ઘટના થઈ શકે છે તેને રોકવા માટે તમે લોકોએ રાજ્ય સરકારના વખાણ કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાની બીજી લહેર એપ્રિલ અને જૂન વચ્ચે આવી હતી. આ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા. દેશના તમામ ભાગોમાં ઓક્સિજનની અછત હોવાના અહેવાલો હતા.
આટલું જ નહીં ઉત્તર પ્રદેશમાં ઓક્સિજન સિલિન્ડરના અભાવે હોબાળો થયો હતો. ઓક્સિજન માટે બધે લાઇનો લાગી હતી. કેટલીક હોસ્પિટલ્સમાં ઓક્સિજનના અભાવે મૃત્યુ થયાના અહેવાલો પણ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ સરકારના આ દાવા બાદ વિપક્ષ હોબાળો મચાવી શકે છે અને સરકારનું આ નિવેદન ચૂંટણી વર્ષમાં તેની મુશ્કેલી બની શકે છે.












Click it and Unblock the Notifications
