કુંડા ડીએસપી હત્યા મામલે રાજા ભૈયાને મળી ક્લીન ચિટ

સીબીઆઇએ જણાવ્યા પ્રમાણે ડીએસપી હત્યા મામલે રાજા ભૈયાનો હાથ હોવાના સંકેત મળ્યા નથી. સીબીઆઇએ કહ્યું કે, હકનું મોત ગામના પ્રધાન નન્હે યાદવની હત્યાંથી ગુસ્સે ભરાયેલા ટોળાના હાથે થયું હોવાની આશંકા છે. એજન્સીનું કહેવું છે કે તેમનું આ પ્રારંભિક તારણ સાક્ષીઓના નિવેદનોના આધારે છે. સીબીઆઇએ જ્યાં રાજા ભૈયાને ક્લીન ચિત આપીને રાહત આપી છે તો બીજી તરફ ડીએસપીની હત્યાનો આરોપ ટોળા પર લગાવ્યો છે. સીબીઆઇએ જણાવ્યા પ્રમાણે બલીપુર ગામના પ્રધાનની હત્યાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ હક પર હુમલો કર્યો અને તેમાંથી જ કોઇ એકએ તેમની હત્યા કરી નાંખી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સીબીઆઇની તપાસમાં અત્યારસુધી ડીએસપીની હત્યામાં રાજા ભૈયા સામેલ હોવાના કોઇ પુરાવા મળ્યા નથી, પરંતુ આ સ્ટેજ પર હજુ સુધી કોઇ અંતિમ તારણ પર પહોંચી શક્યા નથી.
નોંધનીય છેકે ડીએસપીની હત્યા મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇ ટીમે ડીએસપીના બેલ્ટ સહિત ઘણી મહત્વની વસ્તુઓ મેળવી છે. તપાસ ટીમ મામલાને હલ કરવા માટે હરસંભવ પુરાવાઓ એકઠાં કરવામાં લાગેલી છે. પ્રારંભિક તપાસથી હકની હત્યાનો મામલો થોડેક અંશે સ્પષ્ટ થઇ રહ્યો છે પરંતુ કોઇ અંતિમ તારણ પર પહોંચતા પહેલાં પ્રધાન નન્હે અને તેમના ભાઇ સુરેશની હત્યાની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઇએ.
ટીમ નન્હે અને સુરેશ યાદવના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે, જેથી ઘટનાની કડીઓને એકબીજા સાથે જોડી શકાય અને તથ્ય સામે લાવી શકાય. તપાસ એજન્સીને ગોળીઓ વાળી બેલ્ટ સહિત કેટલીક મહત્વની વસ્તુઓ મળી છે. સીબીઆઇએ ડીએસપીની ગાયબ રિવોલ્વર પણ હાંસલ કરવામાં આવી છે. તપાસ એજન્સીના નિવેદનથી બાહુબલી નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાને મોટી રાહત મળી છે, પરંતુ એજન્સી હજુ સુધી પોતાના અંતિમ તારણ પર પહોંચી નથી. અંતિમ પરિણામ આવ્યા પછી જ ટીમ પોતાનો અહેવાલ સરકારને સોંપશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
