મોદીની આશા પર ગડકરીએ ફેરવ્યું પાણી
એક ખાનગી ચેનલે કરેલા ઇન્ટર્વ્યુંમાં ગડકરીએ જણાવ્યું કે '2014ની સામાન્ય ચૂંટણીના પરિણામ નક્કી કરશે કે કોણ પ્રધાનમંત્રી બનશે.' પાર્ટી અધ્યક્ષની ટિપ્પણી વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજના ગુજરાતમાં પ્રચાર અભિયાન દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીના થોડા દિવસ બાદ જ આવી છે. સુષમાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીમાં પ્રધાનમંત્રી બનવાના બધા ગુણો છે અને તે દાવેદાર પણ છે એમાં કોઇ બેમત નથી.
ગડકરીએ એ વાતને પણ રદિયો આપી દીધો હતો કે ભાજપમાં માત્ર રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘનું જ ચાલે છે. તેમણે જણાવ્યું કે ભાજપ સંપૂર્ણરીતે પારદર્શી છે અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે ભાજપ સંઘ દ્વારા ચાલતી નથી.
પક્ષમાં ગડકરીનો વિરોધ થઇ રહ્યો છે તેની વચ્ચે તેમણે જણાવ્યું કે હું રાજીનામુ નહી આપું, મે કોઇ ભ્રષ્ટાચાર નથી કર્યો. મારી સામે કોઇ નોટિસ નથી. કોઇ હાઇકોર્ટનો આદેશ નથી. કોઇ સીબીઆઇ તપાસ નથી ચાલી રહી. તેમણે જણાવ્યું કે આરોપ લગાવતા પહેલા તપાસ કરવી જોઇએ.