બળવાખોર સચિન પાયલટના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી લડે તો તેનાથી ખરાબ કંઈ થઈ શકે નહીં : મીણા
રામકેશ મીણાએ કહ્યું કે, "સચિન પાયલટે બળવો કર્યો હતો. જો કોંગ્રેસ હજૂ પણ તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, તો આનાથી વધુ ખરાબ કંઈ હોય શકે નહીં. શા માટે કોંગ્રસ સચીન પાયલટના નેતૃત્વમાં ચૂંટણી લડે?
જયપુર : રાજસ્થાનમાં નવા મંત્રીમંડળની રચના બાદ પણ સત્તાધારી કોંગ્રેસમાં પરસ્પર વિખવાદ અટક્યો નથી. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટની છાવણીમાં કેટલાક ધારાસભ્યો અને નેતાઓ હજૂ પણ નાખુશ છે.
રાજસ્થાનના મુખ્યમંત્રીના નવા નિયુક્ત સલાહકાર અશોક ગેહલોત અને અપક્ષ ધારાસભ્ય રામકેશ મીણાને નવા મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવ્યા નથી, જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે સચિન પાયલટ પર નિશાન સાધ્યું હતું.
રામકેશ મીણાએ કહ્યું કે, "સચિન પાયલટે બળવો કર્યો હતો. જો કોંગ્રેસ હજૂ પણ તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, તો આનાથી વધુ ખરાબ કંઈ હોય શકે નહીં." મીણાએ કહ્યું, શા માટે કોંગ્રસ સચીન પાયલટના નેતૃત્વમાં ચૂંટણી લડે?
અપક્ષ અને બસપાના ધારાસભ્યોની બિલકુલ જરૂર નથી
રામકેશ મીણાએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ હાઈકમાન્ડને મળીશ. અમારા તરફથી કહેવામાં આવ્યું છે કે, જે પણ સારું છે તે રાજસ્થાનમાં થવું જોઈએ.
જ્યારે રાજસ્થાનનામુખ્યમંત્રી અશોક ગેહલોતના નવનિયુક્ત સલાહકાર અને અપક્ષ ધારાસભ્ય રામકેશ મીણાને નવી કેબિનેટમાં અપક્ષ ધારાસભ્યોનો સમાવેશ ન કરવા અંગે પૂછવામાંઆવ્યું ત્યારે તેમણે કહ્યું કે, હાઈકમાન્ડને કેવી રીતે જાણ કરવામાં આવી છે તેનો આધાર રાખે છે, તેમના દ્વારા વારંવાર હાઇકમાન્ડને જાણ કરવામાં આવી હતી કે, તેમનેઅપક્ષ ધારાસભ્યો અને બસપાના લોકોની બિલકુલ જરૂર નથી.
મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, જો આપણે તેમના (સચિન પાયલોટ) નેતૃત્વમાં ચૂંટણીમાં ચૂંટણી લડીશું, તો સારું નહીં થાય. કારણ કે, તેમણે પાર્ટીને નુકસાન પહોંચાડીનેબળવો કરી દીધો હતો. જો આપણે તેમના નેતૃત્વમાં 2023ની ચૂંટણી લડીશું, તો પાર્ટી માટે તેનાથી ખરાબ કંઈ નહીં હોય."
કેબિનેટમાં મંત્રાલયોની વહેંચણી કેવી હતી?
રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે કેબિનેટમાં ફેરબદલના બીજા જ દિવસે 22 નવેમ્બરના રોજ મંત્રીઓમાં પોર્ટફોલિયોની વહેંચણી કરી છે. રાજસ્થાન સરકારની નવીકેબિનેટની રચનામાં સોશિયલ એન્જિનિયરિંગ, જાતિ અને પ્રાદેશિક સમીકરણોની જેમ વિભાગોના વિભાજનમાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રાજસ્થાનમાંમંત્રીઓની સંખ્યા 30 છે.
કેબિનેટ મંત્રી
1. મુખ્યમંત્રી અશોક ગેહલોત
વિભાગો - નાણા, કર, ગૃહ અને ન્યાય, DOP, GAD, કેબિનેટ સચિવાલય, NRI, IT અને કોમ્યુનિકેશન્સ, રાજસ્થાન રાજ્ય તપાસ બ્યુરો, DIPR
2.
ડો.
બી.
ડી.
કલ્લા
વિભાગ
-
પ્રાથમિક
અને
માધ્યમિક
શિક્ષણ,
સંસ્કૃત
શિક્ષણ,
કલા,
સાહિત્ય,
સંસ્કૃતિ
અને
ASI
3.
શાંતિ
ધારીવાલ
વિભાગ
-
સ્થાનિક
સ્વરાજ્ય,
શહેરી
વિકાસ
અને
આવાસ,
કાયદો
અને
કાનૂની
બાબતો,
સંસદીય
બાબતો
4.
પરસાદી
લાલ
મીણા
વિભાગ
-
તબીબી
અને
આરોગ્ય,
ESI
5.
લાલચંદ
કટારિયા
વિભાગ
-
કૃષિ,
પશુપાલન
અને
મત્સ્યોદ્યોગ
6.
પ્રમોદ
જૈન
ભાયા
વિભાગ
-
ખાણ,
પેટ્રોલિયમ
અને
પશુપાલન
7.
ઉદયલાલ
આંજણા
વિભાગ
-
સહકાર
8.
પ્રતાપસિંહ
ખાચરીયાવાસ
વિભાગ
-
ખાદ્ય
પુરવઠો,
ગ્રાહક
બાબતો
9.
સાલેહ
મોહમ્મદ
વિભાગ
-
લઘુમતી
બાબતો,
વકફ,
વસાહતીકરણ
10.
હેમારામ
ચૌધરી
વિભાગ
-
વન
અને
પર્યાવરણ