સુપ્રીમ કોર્ટે સગર્ભા સ્ત્રીઓના રસીકરણ અંગે સરકાર પાસે જવાબ માંગ્યો!
સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્રને ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને હાઇ-રિસ્ક કેટેગરી જાહેર કરવા અને કોરોના રસીકરણને પ્રાધાન્ય આપવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી હતી.
સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્રને ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને હાઇ-રિસ્ક કેટેગરી જાહેર કરવા અને કોરોના રસીકરણને પ્રાધાન્ય આપવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી હતી. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ અને બી.વી. નાગરથનાની બેંચે દિલ્હી કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (ડીસીપીસીઆર) ની અરજી પર કેન્દ્રને બે સપ્તાહમાં જવાબ આપવા માટે નોટિસ જારી કરી છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સની અરજી પર કેન્દ્રને નોટિસ ફટકારી છે, જેમાં સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે વધારાની સુરક્ષાની માંગણી કરવામાં આવી છે. જેમ કે કોરોના રસી લીધા પછી સતત દેખરેખ રાખવાની માંગ. ડીસીપીસીઆર તરફથી હાજર રહેલા વકીલ વૃંદા ગ્રોવરે રજૂઆત કરી હતી કે, કેન્દ્રએ સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને રસીકરણ માટે ચોક્કસ માર્ગદર્શિકા જારી કરી છે, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રસીકરણને કારણે તેમના પર કેટલીક વિપરીત અસર પડી શકે છે.
વધુમાં ઉમેર્યું હતું કે, આ પરિસ્થિતિમાં મહિલાઓને ઉચ્ચ જોખમવાળી કેટેગરી તરીકે જાહેર કરવાની જરૂર છે, કારણ કે આ લોકો એવા વાયરસ સાથે કામ કરી રહ્યા છે જેના વિશે તેઓ વધુ જાણતા નથી, તેમના પર રસીકરણની અસરો પર સતત સંશોધનની જરૂર છે.
આ સાથે યોગ્ય દેખરેખ માટે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓની રજિસ્ટ્રી માટે એક પ્લેટફોર્મ બનાવવાની પણ જરૂર છે, જે બાદ બેન્ચે કેન્દ્રને નોટિસ પાઠવી અને બે સપ્તાહમાં તેનો જવાબ માંગ્યો. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓના રસીકરણ માટે ઘડવામાં આવેલી નીતિ અને આગળ શું પગલા લઈ શકાય તે અંગે જવાબ માંગ્યો છે.