ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

જમ્મુ-કાશ્મીરના હાન્ડવારામાં આર્મી કેમ્પ પર આતંકવાદીઓનું ઓપન ફાયરિંગ; 2ના મોત
જમ્મુ-કાશ્મીરના હાન્ડવારાના લાંગેટમાં આવેલા 30 રાષ્ટ્રીય રાયફલ કેમ્પમાં આતંકવાદીઓએ આજે સવારે 5 વાગે ઓપન ફાયરિંગ કર્યું છે. 15થી 20 મીનિટ સુધી સતત ચાલેલા ફાયરિંગમાં સવારે 6.30 વાગે ફરી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાના જવાનોએ બે આતંકીઓને ઢાળી દીધા હતા.

દેવું ન ચૂકવી શકતાં પત્નીનો રેપ કરાવ્યો
માત્ર હજાર રૂપિયાના દેવા માટે એક શખ્સે પોતાની પત્નીને એક રાત માટે તેના મિત્રને સોંપી દીધી હતી. ગાઝિયાબાદના લોની વિસ્તારના મજૂર નરેશે પ્રોપર્ટી ડિલર પિંટુ પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા. રૂપિયા ન ચૂકવી શકતા નરેશે પોતાની પત્ની પિંટુને સોંપી દીધી હતી. પિંટુએ રેપ કર્યો હોવાની પીડિતાએ ફરિયાદ નોંધાવી.

કેન્દ્ર 18 ઑક્ટોબરથી GST કાઉન્સિલની બેઠક બોલાવશે
કેન્દ્ર સરકાર જીએસટી સાથે જોડાયેલા મુદાઓને ઉકેલવા માટે જીએસટી કાઉન્સીલની ત્રીજી બેઠક 18 ઓક્ટોબરથી શરુ કરશે, આ બેઠકમાં જીએસટી મુજબ ટેક્સના દર શું હશે, રાજયોને વળતર કઈ ફોર્મુલાના આધારે આપવામાં આવશે, જેવા મહત્ત્વના મુદાઓ પર નિર્ણય લેવાવવાની શકયતા છે. આ બેઠક 4 દિવસ સુધી ચાલશે.

PFની રકમ ઉપાડવા માટે હવે કંપની માલિકની મંજૂરીની જરૂર નહીં પડે
એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઈપીએફઓ) યૂનિવર્સલ એકાઉન્ટ નંબર ધરાવતા લોકો માટે નવુ ફોર્મ જાહેર કર્યું છે. આ ફોર્મ પર તમારે કંપની માલિક પાસેથી કોઈ પ્રમાણ અથવા મંજૂરી લેવાની જરૂર નહીં પડે. હવેથી યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આધારિત ફોર્મ 19 નો ઉપયોગ કરવાનો રહેશે.

સર્જિકલ સ્ટ્રાઇકને લઇને મંત્રીઓ નિવેદનો બંધ કરેઃ મોદી
આર્મીના સર્જિકલ સ્ટ્રાઇક બાદ નેતાઓ રાજકીય લાભ ખાટવામાં લાગી ગયા છે. ત્યારે પીએમ મોદીએ આ મુદ્દે તમામ મંત્રીઓને ચૂપ રહેવા કહી દીધું છે. કોંગ્રેસના સંજય નિરુપમે આ ઓપરેશનને નકલી કહ્યું તો કેજરીવાલે પણ સવાલ ઉઠાવ્યા હતા. ઓપરેશનનો વીડિયો જાહેર કરવા બાબતે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
