ખેડૂતોના વિરોધ વચ્ચે ઓરિસ્સા સરકારે આપી કૃષિ સુધાર વટહુકમ ફરીથી લાગુ કરવાની મંજૂરી

ઓરિસ્સાની નવીન પટનાયક સરકારે મંગળવારે કૃષિ સુધાર વટહુકમને રાજ્યમાં ફરીથી લાગુ કરવાની મંજૂરી આપી દીધી.

ભૂવનેશ્વરઃ કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ચાલી રહેલ ખેડૂત વિરોધ પ્રદર્શન વચ્ચે ઓરિસ્સાની નવીન પટનાયક સરકારે મંગળવારે કૃષિ સુધાર વટહુકમને રાજ્યમાં ફરીથી લાગુ કરવાની મંજૂરી આપી દીધી. સરકારે રાજ્યભરાં પશુધન સહિત ભૌગોલિક રીતે પ્રતિબંધ મુક્ત વેપાર અને કૃષિ ઉપજની લેવડ-દેવડને સક્ષમ કરવા માટે ઓરિસ્સા કૃષિ ઉત્પાદન બજાર સુધારા અધિનિયમમાં સુધારાના વટહુકમને ફરીથી લાગુ કરવાનો નિર્ણય કર્યો. મુખ્યમંત્રી નવીન પટનાયકની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.

navin patnayak

તમને જણાવી દઈએ કે સરકારે ત્રીજી વાર કૃષિ ઉપજ અને પશુધન વિપણન(પદોન્નતિ અને સુવિધા) વટહુકમને લાગુ કરવાનુ આશ્વાસન આપ્યુ. વટહુકમ સરકારે ખાનગી બજાર યાર્ડ અને ખેડૂત ગ્રાહક બજાર યાર્ડ(કૃષક બજાર), ઉપ બજાર યાર્ડ અને માર્કેટ યાર્ડ સ્થાપિત કરવા અને સંચાલિત કરવા માટે વાતારણ બનાવવામાં મદદ કરશે. જેનો હેતુ ખેડૂતોની ઉપજના લાભ માટે પ્રતિસ્પર્ધાને વધારવાનો રહેશે. વટહુકમ કૃષિની ઉપજના વેચાણ પર ભૌગોલિક પ્રતિબંધોને હટાવવા અને ખેડૂતોને રાજ્યની અંદર ક્યાંય પણ પોતાની ઉપજ વેચવાની મંજૂરી આપે છે. આ વેપાર સંચાલનમાં પારદર્શિતા વધારવા અને ભૌગોલિક ક્ષેત્રોમાં બજારોના એકીકરણ માટે ઈ-ટ્રેડિંગને પ્રોત્સાહન આપવાની માંગ કરે છે.

ઓરિસ્સાના કૃષિ ઉપજ અને પશુધન માર્કેટિંગ(સંવર્ધન અને સુવિધા) વટહુકમ કેન્દ્રના કૃષિ ઉત્પાદન અને પશુધન માર્કેટીંગ(સંવર્ધન અને સુવિધા) અધિનિયમ, 2017ની આસપાસ તૈયાર કરવામાં આવ્યુ જેનો હેતુ કૃષિ ક્ષેત્રમાં વ્યાપક બજાર સુધારો લાવવાનો છે. રાજ્ય મંત્રીમંડળ દ્વારા મંગળવારે ફરીથી ઘોષણા માટે અનુમોદિત વટહુકમને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઓરિસ્સા કૃષિ ઉત્પાદન દ્વારા પાસ ત્રણ કૃષિ કાયદાના વિરોધના કારણે સરકારે તેમને બાજુએ મૂકી દીધા.

વળી, ખેડૂત નેતા લિંગરાજે સરકારના આ નિર્ણયનો વિરોધ દર્શાવ્યો છે. તેમણે કહ્યુ કે સરકાર આમ કરીને બજાર ક્ષેત્રોનુ કબાડ કરવા માંગે છે. તેમણે સરકાર પર અકુશલ ધાન ખરીદવાનો પણ આરોપ લગાવ્યો. કૃષિ બંધારણની સૂચિમાં આવે છે માટે કેન્દ્રએ રાજ્યોને આગ્રહ કર્યો છે કે તે સંબંધિત એપીએમસી કૃત્યોને રાજકીય બજારોની સમિતિઓના ચંગુલમાંથી મુક્ત કરે અને રોકાણ તેમજ પ્રતિસ્પર્ધાનો પ્રોત્સાહન આપે. નવેમ્બર, 2019માં એન કે સિંહની અધ્યક્ષતાાં 15માં નાણાપંચે પોતાના રિપોર્ટમાં કહ્યુ હતુ કે જે રાજ્ય મૉડલ કૃષિ ઉપજ અને પશુધન માર્કેટીંગ(સંવર્ધન અને સુવિધા) અધિનિયમ, 2017ની બધી વિશેષતાઓને લાગુ કરશે તે અમુક નાણાકીય પ્રોત્સાહન માટે પાત્ર બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X