ગુજરાતમાંથી સિંહ લાવવામાં આવતા વિધ્નો દૂર કરે અધિકારીઓ: શિવરાજ સિંહ ચૌહાણ

એક આધિકારીક જાહેરાત અનુસાર મધ્યપ્રદેશ રાજ્ય વન્ય-પ્રાણી બોર્ડની અગિયારમી બેઠકને ગઇકાલે અહીં સંબોધિત કરતાં શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું 'કુનો-પાલપુર અભ્યારણમાં ગુજરાતમાંથી સિંહ લાવવાની પ્રક્રિયામાં આવનાર બધા વિઘ્નો સંબંધિત અધિકારી દૂર કરે, જેથી પ્રદેશમાં સિંહોના વસવાટનું કામ જલદી શરૂ થઇ શકે.'
અત્રે ઉલ્લેખનીય છે કે ગત એક વર્ષથી વધુ સમયથી મધ્યપ્રદેશ એમ કહીને એશિયાઇ સિંહોને ગુજરાતથી લાવીને કુનો-પાલપુર અભ્યારણમાં વસવાટની માંગ કરી રહ્યું છે કે ખતરમાં પડેલી આ પ્રજાતિને વસવાટ માટે અહીં સારું અને અનૂકૂળ વાતાવરણ છે, જ્યારે ગુજરાત એમ કહીને તેનો વિરોધ કરી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં સિંહ સુરક્ષિત રહેશે નહી કારણ કે મધ્યપ્રદેશ પન્ના ટાઇગર રિજર્વમાં વાધોનું સંરક્ષણ કરવામાં અસફળ રહ્યું હતું.
શિવરાજ સિંહ ચૌહાણ આ અવસર પર ગિદ્ધ, સાબર અને સોન ચકલીને બચાવવા માટે વિશેષ પ્રયત્ન કરવા માટે પણ નિર્દેશ આપ્યા. મુખ્યમંત્રીએ કાન્હા તથા સતપુડા વાધ અભ્યારણને 'ઇન્ડિયા બાયો-ડાયવર્સિટી એવોર્ડ' મળતાં વન વિભાગ તથા સંબંધિત સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત તેમણે પન્ના નેશનલ પાર્કમાં વાધોની સંખ્યા વધારવાના પ્રયત્નને દેશ અને વિદેશ માટે અનોખું ઉદાહરણ ગણાવતાં વન વિભાગ અને પ્રોજેક્ટ સાથે જોડાયેલ સ્ટાફના વખાણ પણ કર્યા હતા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
