Rath Yatra: રથયાત્રાના દિવસે સોનાના ઝાડૂથી રસ્તા સાફ કરાય છે, જાણો રસપ્રદ વાતો
Rath Yatra: રથયાત્રાના દિવસે સોનાના ઝાડૂથી રસ્તા સાફ કરાય છે, જાણો રસપ્રદ માહિતી
નવી દિલ્હીઃ આખરે લાંબી માથાકુટ બાદ કોરોના સંકટની વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે, આ યાત્રા કેટલીય પ્રકારે મહત્વ ધરાવે છે અને આ કારણે જ ભક્તોની આસ્થાનો વિષય છે, એવું માનવામાં આવે છે કે આ રથયાત્રામાં સામેલ થવાથી માણસોના બધાં જ કષ્ટોનો અંત થાય છે, તેમના પાપોનો નાશ થાય છે અને તેને સુખની પ્રાપ્તિ થાય છે.

સ્કંદ પુરાણોમાં જ રથયાત્રાનું વર્ણન
પ્રભુ જગન્નાથની રથયાત્રાનું વર્ણન સ્કંદ પુરાણોમાં પણ છે, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ જગ્નાનથના નામનું કીર્તન કરતાં ગુંડીચા નગર સુધી જાય છ તે બધા કષ્ટોથી મુક્ત થઇ જાય છે અને જે ગુંડિચા મંડપમાં રથ પર વિરાજમાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રા દેવીના દર્શન દક્ષિણ દિશા તરફ આવતા કરે છે તેન મોક્ષ મળે છે.

રથ યાત્રામાં ત્રણ રથ નીકળ છે
ઉલ્લેખનીય છે કે જગન્નાથ મંદિર ચાર ધામમાંથી એક છે, 800 વર્ષ જૂના આ મંદીરમાં ભગવાન કૃષ્ણને જગન્નાથના રૂપામં પૂજવામાં આવે છે અને તમની સાથે જ તેમના મોટા ભાઇ બલરામ અન બહેન સુભદ્રા પણ વિરાજમાન છે, રથયાત્રામાં ત્રણેય લોકોના રથ નીકળ છે. રથયાત્રામાં ત્રણ રથ હોય છે, જેમાં સૌથી આગળ તાલ ધ્વજ પર શ્રી બલરામ, તની પાછળ પદ્મ ધ્વજ રથ પર માતા સુભદ્રા અન સૌની પાછળ નન્દીઘોષ નામના રથ પર શ્રી જગન્નાથ ચાલ છે. તાલધ્વજ રથ 65 ફીટ લાંબો, 65 ફીટ પહોડો હોય છે. જેમાં 7 ફીટ વ્યાસના 17 પૈડાં લાગલાં હોય છે. બલરામ અન સુભદ્રા બંનેના રથ પ્રભુ જગન્નાથના રથથી નાનો હોય છે.

જાણો રથયાત્રાનો અર્થ શું છે
એવું માનવામાં આવ છે કે રથનું નિર્માણ બુદ્ધિથી કરવામાં આવ છે, તેની સરખામણી માણસોના શરીર સાથે કરવામા ંઆવ છે, આવા રથ રૂપિ શરીરમા આત્મા રૂપી ભવાન વિરાજમાન હોય છે. આ પ્રકારે રથયાત્રા શરીર અન આત્માના મિલન તરફ સંકેત કરે છે માટે શ્રી જગન્નાથનો રથ ખેંચી લોકો ખુદન ધન્ય સમજ છે.

નારિયળીની લાકડાંથી રથ બનાવાય છે
ભગવાન જગન્નાથ, બલભદ્ર અન સુભદ્રાના રથ નારિયળના લાકડામાંથી બને છે. નાળિયેરીનું લાકડું હળવું હોવાથી તેમાંથી રથ બનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથના રથનો રંગ લાલ અને પીળો હોય છે. આ ઉપરાંત રથ બાકી રથોની સરખામણીએ આકારમાં વિશેળ હોય છ, ભગવાનના રથમાં એકપણ ચૂક કે કાંટા વગેરેનો પ્રયોગ નથી થતો. એટલું જ નહિ કોઇ ધાતુ પણ રથમાં નથી લગાવાતી. રથના લાકડાની પસંદગી વસંત પંચમીના દિવસ થાય છે અન રથ બનાવવાની શરૂઆત અક્ષય તૃતીયાના દિવસે જ થાય છે.

સોનાનું ઝાડૂ
ત્રણ રથ તૈયાર થયા બાદ તેની પૂજા કરવા માટે પૂરીના ગજપતિ રાજાની પાલકી આવે છે. આ પૂજા પ્રતિષ્ઠાનન "છર પહનારા" નામે ઓળખવામાં આવે છે. આ ત્રણેય રથની તેઓ વિધિવત પૂજા કરે છે અને સોનાના ઝાડૂથી મંડપ અને રસ્તાને સાફ કરે છે.

એકાદશી પર મંદિર ખોલવામાં આવે છે
જગન્નાથ મંદિર પહોંચ્યા બાદ પણ તમામ પ્રતિમાઓ રથમાં જ રહે છે. આગલા દિવસ એકાદશી પર મંદિર ખોલવામાં આવે છે અને ત્યાં દેવોના સ્નાન બાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચ તેમન પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. રથયાત્રામાં જગન્નાથ મુજબ ભગવાન જગન્નાથ વિવિધ ધર્મો, મતો અને વિશ્વાસનું અદ્ભુત સમન્વય છે, માટ પુરી રથયાત્રામાં કેટલાય ધર્મના લોકો પણ સામેલ થાય છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
