કાશ્મીરી પંડિતની હત્યા પર ઔવેસીએ કસ્યો સકંજો, કહ્યું- 370 એ કહીને હટાવી હતી કે પંડિતોને થશો ફાયદો
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક કાશ્મીરી પંડિતની હત્યા અને તેના ભાઈને ઘાયલ કર્યા પછી કેન્દ્ર અને લેફ્ટનન્ટ ગવર્નર (L-G) મનોજ સિન્હા પર આકરા પ્
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક કાશ્મીરી પંડિતની હત્યા અને તેના ભાઈને ઘાયલ કર્યા પછી કેન્દ્ર અને લેફ્ટનન્ટ ગવર્નર (L-G) મનોજ સિન્હા પર આકરા પ્રહારો કર્યા હતા. અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે દાવો કર્યો હતો કે આ ઘટના નરેન્દ્ર મોદી સરકારની નિષ્ફળતાનું બીજું ઉદાહરણ છે. અસદુદ્દીન ઓવૈસીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યું છે અને હવે મોટાભાગના કાશ્મીરીઓ હિંસાથી ડરીને ખીણ છોડવા માંગે છે.

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "કેન્દ્ર સરકાર ત્યાં (J&K) નિષ્ફળ ગઈ છે. તમામ પંડિતોને ફાયદો થશે, કાશ્મીરમાં શાંતિ રહેશે એમ કહીને 370 હટાવી દેવામાં આવી હતી. તમારી સરકાર તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે અને કાશ્મીરી પંડિતો હવે કાશ્મીર છોડવા માંગે છે.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, આ મોદી સરકારની નિષ્ફળતાનું બીજું ઉદાહરણ છે. જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના જીવનની રક્ષા કરવામાં નિષ્ફળતાની જવાબદારી ભાજપ અને તેની સરકારની છે.
દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર (L-G) મનોજ સિંહાએ સુનીલ કુમાર ભટની હત્યાની નિંદા કરી હતી. સિન્હાએ ટ્વીટ કર્યું કે, શોપિયાંમાં નાગરિકો પર ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાની નિંદા શબ્દોની બહાર છે. સુનીલ કુમારના પરિવાર પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. આ હુમલો બધા તરફથી સખત નિંદાને પાત્ર છે. બર્બર કૃત્ય માટે જવાબદાર આતંકવાદીને બક્ષવામાં આવશે નહીં.
BJP appointed LG in J&K & Centre run govt there have proved to be unsuccessful. Removal of Art 370 from hasn't helped. Not the first attack on a Kashmiri Pandit in J&K, they (Centre) have failed to provide security. Kashmiri Pandits want to leave Kashmir now: A. Owaisi AIMIM pic.twitter.com/qlDMFd9ebX
— ANI (@ANI) August 16, 2022
ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું, "શોપિયામાં નિર્દોષ લઘુમતી સમુદાયના સભ્યો પરના આતંકના કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરીએ છીએ જેમાં સુનિલ કુમાર માર્યા ગયા હતા અને અન્ય ઘાયલ થયા હતા. આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. હત્યારાઓને સજા થવી જોઈએ."
છેલ્લા એક સપ્તાહમાં આતંકવાદીઓએ ઘાટીમાં હુમલા તેજ કર્યા છે. રવિવારે નોહટ્ટામાં એક પોલીસકર્મી અને ગયા અઠવાડિયે બાંદીપોરામાં એક પરપ્રાંતિય મજૂરનું મોત થયું હતું. સોમવારે બડગામ અને શ્રીનગર જિલ્લામાં બે ગ્રેનેડ હુમલા થયા હતા.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
