પંજાબ ચૂંટણીના પરિણામો પર અમરિંદર સિંહે કહ્યું - શું હું તમને પંડિત લાગૂ છું?
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને 'પંજાબ લોક કોંગ્રેસ'ના વડા કેપ્ટન અમરિંદર સિંહ સોમવારના રોજ દિલ્હી પહોંચ્યા છે. અહીં તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. તેમણે અમિત શાહ સાથેની બેઠકને સામાન્ય બેઠક ગણાવી છે.
નવી દિલ્હી, 07 માર્ચ : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને 'પંજાબ લોક કોંગ્રેસ'ના વડા કેપ્ટન અમરિંદર સિંહ સોમવારના રોજ દિલ્હી પહોંચ્યા છે. અહીં તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. તેમણે અમિત શાહ સાથેની બેઠકને સામાન્ય બેઠક ગણાવી છે. આવા સમયે તેમણે પંજાબ ચૂંટણીના પરિણામો પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે, તે કોઈ આગાહી કરશે નહીં.

મારી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે : કેપ્ટન અમરિન્દર સિંહ
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા બાદ જ્યારે કેપ્ટન અમરિન્દર સિંહને પંજાબ ચૂંટણીમાં તેમના ગઠબંધનની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, હું એવોપંડિત નથી કે, જે ચૂંટણીની આગાહી કરી શકે. જ્યાં સુધી ચૂંટણી લડવાની વાત છે, તો હું કહી શકું છું કે મારી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે. અમારા સહયોગી ભાજપે પણસારી લડત આપી છે. હવે પરિણામના દિવસે જ ખબર પડશે કે શું થાય છે.

પંજાબના વિષયો પર ચર્ચા કરવામાં આવી
અમરિન્દર સિંહે વધુમાં જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અમિત શાહ સાથેની તેમની મુલાકાતને રાજકીય મીટિંગ ન ગણવી જોઈએ. બેઠકમાં તેમની સાથે ચૂંટણી નહીં પણસામાન્ય ચર્ચા થઈ હતી.
ખાસ કરીને પંજાબના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. પંજાબની ચૂંટણીના પરિણામ હજૂ આવ્યા નથી, પરિણામ ક્યારે આવશે, ત્યારબાદ આ વિષય પર પણ વિસ્તૃત ચર્ચા થશે.

પંજાબમાં 20 ફેબ્રુઆરીના રોજ થયું હતું મતદાન
પંજાબ વિધાનસભાની 117 બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આ ચૂંટણીમાં રાજ્યમાં 68 ટકા મતદાન નોંધાયું છે. 10 માર્ચે મતગણતરી થશે અને પરિણામજાહેર થશે.
2017ની ચૂંટણીમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી હતી અને અમરિંદર સિંહ મુખ્યમંત્રી બન્યા હતા. આ ચૂંટણીના થોડા મહિના પહેલા અમરિંદર સિંહનેકોંગ્રેસના સીએમ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જે બાદ તેમણે ભાજપ સાથે ગઠબંધન કરીને પોતાની પાર્ટી બનાવીને ચૂંટણી લડી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
