Happy Teachers Day 2018: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શિક્ષકોને પાઠવી શુભકામનાઓ
આજે સમગ્ર દેશ પોતાના બીજા રાષ્ટ્રપતિ રહી ચૂકેલ રાધાકૃષ્ણનનો જન્મદિવસ, ‘શિક્ષક દિવસ' ના રૂપમાં મનાવી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે દેશના બધા શિક્ષકોને શુભકામનાઓ પાઠવી છે.
આજે સમગ્ર દેશ પોતાના બીજા રાષ્ટ્રપતિ રહી ચૂકેલ રાધાકૃષ્ણનનો જન્મદિવસ, 'શિક્ષક દિવસ' ના રૂપમાં મનાવી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે દેશના બધા શિક્ષકોને શુભકામનાઓ પાઠવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શિક્ષક દિવસ પર ટ્વિટ કરીને કહ્યુ કે, 'હું ડૉ. એસ રાધાકૃષ્ણને શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છુ અને આપણા દેશના બધા શિક્ષકોને હાર્દિક શુભકામનાઓ પાઠવુ છુ. રાધાકૃષ્ણન આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ હતા.'
On #TeachersDay I pay homage to Dr S. Radhakrishnan and extend heartiest greetings to all teachers of our nation. May our great gurus continue to help and guide us in building a nation and world full of wisdom, peace and harmony, tweets President Ram Nath Kovind (file pic) pic.twitter.com/mNiltQSOGJ
— ANI (@ANI) 5 September 2018
તમને જણાવી દઈએ કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જનન્મદિવસ (5 સપ્ટેમ્બર) ભારતમાં શિક્ષકદિવસના રૂપમાં મનાવવામાં આવે છે. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દક્ષિણ ભારતના તિરુત્તનિમાં થયો હતો જે ચેન્નઈથી 64 કિમી દૂર ઉત્તર-પૂર્વમાં છે. રાધાકૃષ્ણન આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. રાજકારણમાં આવતા પહેલા તેમણે પોતાના જીવનના 40 વર્ષ અધ્યાપન ક્ષેત્રને આપ્યા હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું માનવુ હતુ કે શિક્ષક વિના વ્યક્તિ ક્યારેય પણ મંઝિલ સુધી પહોંચી શકતા નથી એટલા માટે વ્યક્તિના જીવનમાં એક શિક્ષક હોવો ખૂબ જ જરૂરી છે.