હૈદરાબાદમાંથી વિસ્ફોટકોનો ભારે જથ્થો મળી આવ્યો

પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે કંચનબાગ વિસ્તારમાં વાહનોની તપાસ શરૂ કરી. દરમિયાન એક ગાડીમાંથી વિસ્ફોટકો મળી આવ્યા. પોલીસે જંગિયાનામના એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. પોલીસ આ વિસ્ફોટકોની સાથે ઝડપાયેલા વ્યક્તિની પૂછપરછ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના દિલસુખનગરમાં ગઇ 21 ફેબ્રુઆરીના રોજ ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. જેમાં 17 જેટલા લોકોના મોત નિપજ્યા હતા તેમજ 120થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભીડભાડવાડા આ વિસ્તારમાં સાંઇબાબાનું મંદિર નિશાના પર હોય તેવું જાણવા મળ્યું હતું. આ વિસ્ફોટોના પગલે સમગ્ર દેશમાં એલર્ટ જારી કરી દેવાયું હતું.












Click it and Unblock the Notifications
