મોદી કેબિનેટમાં માત્ર 3 મહિલાઓ, ગઈ વખત કરતા અડધી થઈ સંખ્યા
મોદી કેબિનેટમાં આ વખતે માત્ર 6 મહિલાઓને મંત્રી બનાવવામાં આવી છે જેમાંથી ત્રણ મહિલાઓને કેન્દ્રીય કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
મોદી કેબિનેટમાં આ વખતે માત્ર 6 મહિલાઓને મંત્રી બનાવવામાં આવી છે જેમાંથી ત્રણ મહિલાઓને કેન્દ્રીય કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમના નામ સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ અને હરસિમરત કૌર જ્યારે સાધ્વી નિરંજન જ્યોતિ, રેણુકા સિંહ સારુતા અને દેબાશ્રી ચૌધરીને રાજ્યમંત્રીનું પદ આપવામાં આવ્યુ છે. ગઈ વખતે મોદી સરકારમાં 10 મહિલાઓને મંત્રી બનાવવામાં આવી હતી. એ હિસાબે આ વખતે મહિલાઓના મંત્રી બનાવવાની સંખ્યા ઓછી થઈ છે.

મોદી કેબિનેટમાં માત્ર 3 મહિલાઓ
આ વખતે લોકસભામાં મહિલાઓએ બંપર બાજી મારી છે. આ વખતે 78 મહિલાઓ લોકસભામાં જીતીને પહોંચી છે જેમાંથી 40 મહિલાઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર જીતીને આવી છે. આ વખતે સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, અનુપ્રિયા પટેલ, મેનકા ગાંધી અને નજમા હેપતુલ્લાને મંત્રીમંડળનો હિસ્સો બનાવવામાં આવ્યા છે. સુષ્મા સ્વરાજે આરોગ્ય કારણોથી મંત્રીમંડળમાં ન હોવાની વાત કહી છે જ્યારે લોકસભા ચૂંટણી દરમિયાન ઉમા ભારતીએ ચૂંટણી ન લડવાનું એલાન કર્યુ હતુ.

મેનકા ગાંધીની ભૂમિકા વિશે સસ્પેન્સ યથાવત
જ્યારે મેનકા ગાંધીની ભૂમિકા વિશે સસ્પેન્સ યથાવત છે. સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ અને હરસિમરત કૌર ગઈ સરકારમાં પણ મંત્રી રહ્યા છે. 24 કેબિનેટ, 9 સ્વતંત્ર હવાલો, 24 રાજ્યમંત્રી શામેલ છે. અકાલી દળ, શિવસેના, લોજપા ઉપરાંત અન્ય સહયોગીઓને 1-1 મંત્રી પદ આપ્યુ છે. આના કારણે જેડીયુ નારાજ થઈ ગઈ છે તેણે સરકારમાં શામેલ ન થવાનો નિર્ણય કર્યો.

મંત્રીઓના કામની વહેંચણી આજે થવાની છે
મંત્રીઓના કામની વહેંચણી આજે થવાની છે. અમિત શાહ પહેલી વાર મોદી સરકારનો હિસ્સો બન્યા છે. એવામાં દરેકની નજર છે કે તેમને શું જવાબદારી મળી છે. તો સુષ્મા સ્વરાજ આ વખતે સરકારનો હિસ્સો નથી એટલા માટે વિદેશ મંત્રી કોણ બને છે એ પણ જોવાનુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે BIMSTEC દેશોના પ્રમુખો સાથે દ્વીપક્ષીય વાતચીત કરશે. ત્યારબાદ આજે સાંજે મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક પણ થશે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
