રાજ્યસભામાં 12 સાંસદોના નિલંબન મુદ્દે વિપક્ષ એકજૂટ, મંગળવારે બેઠક!
સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થયું છે. તેમાં ખેડૂતો અને વિપક્ષના ગુસ્સાને શાંત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં કૃષિ કાયદો રદબાતલ બિલ 2021 પસાર કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હી, 29 નવેમ્બર : સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થયું છે. તેમાં ખેડૂતો અને વિપક્ષના ગુસ્સાને શાંત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં કૃષિ કાયદો રદબાતલ બિલ 2021 પસાર કરવામાં આવ્યું હતું. આ સિવાય ગત સત્રમાં હંગામો મચાવનારા 12 સાંસદો પર કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે તે ગૃહની કાર્યવાહીમાં ભાગ નહીં લઈ શકે. જેના કારણે તમામ વિરોધ પક્ષો ફરી એક થઈ ગયા છે. આ સાથે જ તેમણે સરકાર વિરુદ્ધ મોરચો ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે.

એક સંયુક્ત નિવેદનમાં વિરોધ પક્ષોના નેતાઓએ કહ્યું કે સંસદમાં તમામ વિપક્ષી પક્ષો એક થઈને 12 સાંસદોના અન્યાયી અને અલોકતાંત્રિક સસ્પેન્શનની નિંદા કરે છે. સરકારના સરમુખત્યારશાહી નિર્ણયનો વિરોધ કરવા અને સંસદીય લોકશાહીનું રક્ષણ કરવા માટેના ભાવિ પગલાં અંગે ચર્ચા કરવા રાજ્યસભામાં વિરોધ પક્ષોના ફ્લોર લીડર મંગળવારે મળશે.
વિપક્ષના રાજ્યસભાના 12 સાંસદો એલામારામ કરીમ (CPM), ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, આર બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રસાદ સિંહ (કોંગ્રેસ), બિનોય વિશ્વમ (CPI), ડોલા સેન અને શાંતા છેત્રી(TMC), પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ (શિવસેના)ના નામ સામેલ છે.
પોતાના સસ્પેન્શન પર શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, જિલ્લા કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી દરેક જગ્યાએ આરોપીની વાત સાંભળવામાં આવે છે, તેમના માટે વકીલો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ક્યારેક સરકારી અધિકારીઓને તેમનો પક્ષ લેવા મોકલવામાં આવે છે, પરંતુ અહીં (સંસદમાં) અમારો પક્ષ લેવાયો નથી. તેમણે વધુમાં કહ્યું કે સીસીટીવી ફૂટેજ જોઈએ તો નોંધવામાં આવ્યું છે કે કેવી રીતે પુરુષ માર્શલ મહિલા સાંસદોને મારતા હતા. આ બધું એક તરફ અને તમારો નિર્ણય બીજી તરફ? આ કેવું અસંસદીય વર્તન છે?












Click it and Unblock the Notifications
