ચૂંટણી પરિણામો પર ચિદમ્બરમે કર્યો ચોંકાવનારો ખુલાશો
નવી દિલ્હી, 9 મે: સામાન્ય રીતે રાજનીતિના તીખા નિવેદનોથી દૂર રહેનાર નાણામંત્રી પી. ચિદમ્બરમે હવે વિવાદીત નિવેદનની શરૂઆત કરી છે. તમામ ચૂંટણી ભવિષ્યવાણીઓને રદિયો આપતા નાણા મંત્રી પી. ચિદમ્બરમનું કહેવું છે કે સહયોગી દળોની સાથે કોંગ્રેસની સરકાર બનવાના સારા સંકેત છે અને સારા દિવસો પણ આવવાના છે.
ચિદમ્બરમે જણાવ્યું કે ભાજપ અને તેના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ખબર નથી કેમ આફળા-ફાફળા થઇ ગયા છે, અને ચૂંટણી પંચ પર પોતાના નિવેદન કરીને પોતાનો અસલી ચહેરો બતાવી રહ્યા છે. કોંગ્રેસની ચૂંટણી સભાઓ અંગે પૂછતા તેમણે જણાવ્યું કે અસલી ખબર તો 16 મેની બપોર સુધી પડી જશે, પરંતુ આજની સ્થિતિમાં કોંગ્રેસની સરકાર બનવાની સારી તકો છે.
એ પૂછવા પર કે શું દેશમાં સારા દિવસો આવવાના છે તો તેમણે જણાવ્યું કે 'હું હંમેશા સારા ભવિષ્યમાં વિશ્વાસ રાખનારો છું, અમારી સરકાર બનશે અને સારા દિવસો પણ આવશે.'
ચૂંટણી પંચ પર ભાજપ અને મોદીના પ્રહારો અંગે પૂછાયેલા સવાલોના જવાબમાં તેમણે જણાવ્યું કે 'ખબર નથી તેઓ કેમ હતાશ છે, જે વ્યક્તિ વડાપ્રધાન પદનો ઉમેદવાર હોય, તે આ રીતે ચૂંટણી પંચ પર પ્રહાર કરે તે યોગ્ય નથી.'
આનાથી ચૂંટણી પંચ નબળું નથી દેખાતું પરંતુ તેમનો અસલી ચહેરો સામે આવે છે, જે આ પ્રકારની વાતો કરી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયાને અત્યાર સુધી સફળતાપૂર્વક કાર્ય કરવા બદલ ચિદમ્બરમે પંચની પીઠ થપથપાવી.
તેમણે જણાવ્યું કે પંચે એક મોટી અને શાનદાર ભૂમિકા નિભાવી છે અને ચૂંટણી ઘણા હદ સુધી શાંતિપૂર્ણ રહ્યા. જોકે તેમણે માન્યૂ કે ચૂંટણીનો સમય લાંબો ના હોવો જોઇએ અને તેને ત્રણથી ચાર અઠવાડીયામાં જ પૂર્ણ કરી દેવું જોઇતું હતું. આ જ ક્રમમાં ચિદમ્બરમે બાકી કોંગ્રેસી નેતાઓની જેમ ઇશારો ઇશારોમાં મોદી પર પ્રહાર કર્યા.
ચિદમ્બરમે આખરે એવું તો શું કહ્યું વાંચો...

મોદી પર પ્રહાર
ચિદમ્બરમે જણાવ્યું કે ભાજપ અને તેના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ખબર નથી કેમ આફળા-ફાફળા થઇ ગયા છે, અને ચૂંટણી પંચ પર પોતાના નિવેદન કરીને પોતાનો અસલી ચહેરો બતાવી રહ્યા છે. કોંગ્રેસની ચૂંટણી સભાઓ અંગે પૂછતા તેમણે જણાવ્યું કે અસલી ખબર તો 16 મેની બપોર સુધી પડી જશે, પરંતુ આજની સ્થિતિમાં કોંગ્રેસની સરકાર બનવાની સારી તકો છે.

તેમણે કહ્યું સારા દિવસો આવશે
એ પૂછવા પર કે શું દેશમાં સારા દિવસો આવવાના છે તો તેમણે જણાવ્યું કે 'હું હંમેશા સારા ભવિષ્યમાં વિશ્વાસ રાખનારો છું, અમારી સરકાર બનશે અને સારા દિવસો પણ આવશે.'

ચૂંટણી પંચ પર ભાજપ અને મોદીના પ્રહારો
ચૂંટણી પંચ પર ભાજપ અને મોદીના પ્રહારો અંગે પૂછાયેલા સવાલોના જવાબમાં તેમણે જણાવ્યું કે 'ખબર નથી તેઓ કેમ હતાશ છે, જે વ્યક્તિ વડાપ્રધાન પદનો ઉમેદવાર હોય, તે આ રીતે ચૂંટણી પંચ પર પ્રહાર કરે તે યોગ્ય નથી.'

મોદીનો અસલી ચહેરો સામે આવ્યો
આનાથી ચૂંટણી પંચ નબળું નથી દેખાતું પરંતુ તેમનો અસલી ચહેરો સામે આવે છે, જે આ પ્રકારની વાતો કરી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયાને અત્યાર સુધી સફળતાપૂર્વક કાર્ય કરવા બદલ ચિદમ્બરમે પંચની પીઠ થપથપાવી.

ચૂંટણી પંચને શીખામણ
તેમણે જણાવ્યું કે પંચે એક મોટી અને શાનદાર ભૂમિકા નિભાવી છે અને ચૂંટણી ઘણા હદ સુધી શાંતિપૂર્ણ રહ્યા. જોકે તેમણે માન્યૂ કે ચૂંટણીનો સમય લાંબો ના હોવો જોઇએ અને તેને ત્રણથી ચાર અઠવાડીયામાં જ પૂર્ણ કરી દેવું જોઇતું હતું. આ જ ક્રમમાં ચિદમ્બરમે બાકી કોંગ્રેસી નેતાઓની જેમ ઇશારો ઇશારોમાં મોદી પર પ્રહાર કર્યા.












Click it and Unblock the Notifications
