પદ્મ વિભૂષણ ઈતિહાસકાર બાબાસાહેબ પુરંદરેનુ 99 વર્ષની ઉંમરે નિધન, શિવાજી મહારાજ પર લખ્યુ હતુ પુસ્તક
ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સમ્માનિત પ્રસિદ્ધ લેખક તેમજ ઈતિહાસકાર બાબાસાહેબ પુરંદરેનુ નિધન થઈ ગયુ છે.
પૂણેઃ ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સમ્માનિત પ્રસિદ્ધ લેખક તેમજ ઈતિહાસકાર બાબાસાહેબ પુરંદરેનુ નિધન થઈ ગયુ છે. તેઓ 99 વર્ષના હતા તબિયત બગડતા તેમને પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ સોમવારે સવારે 5 વાગે તેમને મૃત જાહેર કર્યા હતા. હવે આજે સવારે 10.30 વાગે પૂણેના વેંકુઠ સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કોણ હતા બાબાસાહેબ પુરંદરે, કેવી રીતે થયુ મોત?
બાબાસાહેબ પુરંદરેના નજીકના લોકોના જણાવ્યા મુજબ શનિવારે બાથરુમમાં પડી ગયા બાદ ઈતિહાસકાર લેખક બાબાસાહેબ પુરંદરેને પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. જો કે, તેમનો જીવ બચાવી શકાયો નહોતો અને સોમવારે સવારે 5 વાગે પદ્મવિભૂણ બાબાસાહેબ પુરંદરેનુ નિધન થઈ ગયુ. ડૉક્ટરોએ જણાવ્યુ કે તેઓ 99 વર્ષના હતા અને પૂણેની હોસ્પ્ટિલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

છત્રપતિ શિવાજી મહારાજ પર લખ્યા હતા આલેખ
મહારાષ્ટ્રમાં બાબાસાહેબ પુરંદરેનુ નામ ખૂબ આદરથી લેવામાં આવે છે કારણકે તેમણે છત્રપતિ શિવાજી મહારાજ પર લખેલા આલેખોના કારણે સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે શિવાજીના શાસનના સમયેની રાજ્ય વ્યવસ્થા, તેમના પ્રશાસન અને કિલ્લાઓ પર ઘણા પુસ્તકો લખ્યા. છત્રપતિના જીવન પર બાબાસાહેબ પુરંદરેએ એક લોકપ્રિય નાટક 'જાંતા રાજા'નુ પણ નિર્દેશન કર્યુ હતુ.

2019માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા
બાબાસાહેબ પુરંદરેનો 2015માં રાજ્ય સરકાર પાસેથી મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર મળ્યો. આ ઉપરાંત 2019માં તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ મળ્યો. આ રીતે બાબાસાહેબ પુરંદરે એક પ્રસિદ્ધ લેખક, ઈતિહાસકાર અને રંગમંચના વ્યક્તિત્વ હતા.

મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યુ દુઃખ
બાબાસાહેબ પુરંદરેના નિધન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યુ, 'શિવશાહીર બાબાસાહેબ પુરંદરેનુ નિધન ઈતિહાસ અને સંસ્કૃતિની દુનિયામાં એક મોટુ શૂન્ય છોડે છે. તેમના કારણે આવનારી પેઢીઓ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાશે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
