હૈદરાબાદ વિસ્ફોટો પાછળ પાકિસ્તાનઃ અડવાણી

અડવાણીએ કહ્યું, 'પાડોશી દેશે ગત કેટલાક દશકામાં ભારત વિરુદ્દ યુદ્ધ કર્યું, પરંતુ તેમાં તેને સફળતા મળી નહી, તેથી તેણે પ્રોક્ષી વોર શરૂ કર્યું છે.'
તેમણે કહ્યું, 'પાડોશી દેશે ભારતમાં સમસ્યાઓ ઉભી કરવા માટે આતંકવાદનો સહારો લીધો છે, તેમાં કોઇ શંકા નથી કે હૈદરાબાદ વિસ્ફોટોમાં પાકિસ્તાનનો હાથ છે.'
અડવાણીએ કહ્યું કે પાકિસ્તાને વાજપાયી અને મુશર્રફ વચ્ચે બેઠક દરમિયાન કરવામાં આવેલી એ પ્રતિબદ્ધતાનો અમલ કરવો જોઇએ કે, ભારત વિરુદ્ધ આતંકવાદી ઘટનાઓ માટે તે પોતાની જમીનનો ઉપયોગ કરવા નહીં દે.
તેમણે કહ્યું કે, પાકિસ્તાન હૈદરાબાદ વિસ્ફોટોથી પોતાને અલગ કરી શકે નહીં.












Click it and Unblock the Notifications
