માઓવાદીઓ પાસેથી પાકિસ્તાની સેનાની રાઈફલ મળી આવી
માઓવાદીઓ પાસેથી પાકિસ્તાની સેનાની રાઈફલ મળી આવી
માઓવાદીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. શુક્રવારે છત્તીસગઢ પોલીસે ઉત્તર બસ્તરના કાંકેરમાં અથડામણ બાદ માઓવાદીઓ પાસેથી જી-3 રાઈફલ સહિત અન્ય આર્મ્સ અને એમ્યુનેશન જપ્ત કર્યાં. માઓવાદીઓ પાસેથી જે રાઈફલ જપ્ત થઈ છે તેને પાકિસ્તાની સેના દ્વારા ઉપયોગમાં લેવાઈ રહી છે. આ રાઈફલનો ઉપયોગ ભારતીય સેના નથી કરતી. માઓવાદીઓ પાસેથી વિદેશી બંદૂકો જપ્ત થયા બાદ સુરક્ષા એજન્સીઓ સચેત થઈ ગઈ છે. આ રાઈફલને જર્મનીની હેકલર એન્ડ કોચ કંપની બનાવે છે.
પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું
માઓવાદીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. શુક્રવારે છત્તીસગઢ પોલીસે ઉત્તર બસ્તરના કાંકેરમાં અથડામણ બાદ માઓવાદીઓ પાસેથી જી-3 રાઈફલ સહિત અન્ય આર્મ્સ અને એમ્યુનેશન જપ્ત કર્યાં. માઓવાદીઓ પાસેથી જે રાઈફલ જપ્ત થઈ છે તેને પાકિસ્તાની સેના દ્વારા ઉપયોગમાં લેવાઈ રહી છે. આ રાઈફલનો ઉપયોગ ભારતીય સેના નથી કરતી. માઓવાદીઓ પાસેથી વિદેશી બંદૂકો જપ્ત થયા બાદ સુરક્ષા એજન્સીઓ સચેત થઈ ગઈ છે. આ રાઈફલને જર્મનીની હેકલર એન્ડ કોચ કંપની બનાવે છે.
રાઈફલ જપ્ત
માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સેના અને પાકિસ્તાની આતંકી સંગઠન માઓવાદીઓના સંપર્કમાં છે. તેમનો એજન્ડા ભારતમાં કાનૂન વ્વસ્થાને બગાડવાની છે. પાકિસ્તાની સેના અને તેમના આતંકી સંગઠન ખલિસ્તાની આતંકવાદીઓ સહિત તેનાથી જોડાયેલ અલગાવવાદી સંગઠનોને આર્મ્સ અને એમ્યુનેશન ગેરકાયદેસર રીતે ઉપલબ્ધ કરાવતા આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે હવે પાકિસ્તાની સેના અને તેના આતંકી સંગઠનોએ માઓવાદિઓને આર્મ્સ અને એમ્યુનેશન ઉપલબ્ધ કરાવવાનું શરૂ કરી દીધું છે.
બીજી વખત આવું બન્યું
છત્તીસગઢના ડીજીપી ડીએમ અવસ્થીએ પણ જણાવ્યું કે માઓવાદીઓ પાસેથી જપ્ત જી-3 રાઈફલનો ઉપયોગ ભારતીય સુરક્ષાબળો નથી કરતા. તેનો ઉપયોગ પાકિસ્તાની સેના કરે છે. આ બીજી વખત બન્યું છે જ્યારે માઓવાદીઓ પાસેથી પાકિસ્તાની સેના દ્વારા ઉપયોગમાં કરાતી રાઈફલ જપ્ત થઈ હોય. અગાઉ પણ 2018માં છત્તીસગઢ પોલીસે સુકમામાં અથડામણ બાદ નક્સલીઓ પાસેથી જી-3 રાઈફલ જપ્ત કરી હતી.
SCO સમિટઃ પીએમ મોદી અને પાક પીએમ ઈમરાન ખાન વચ્ચે થયા દુઆ-સલામ