Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નવા સંસદ ભવનમાં અખંડ ભારતનો નકશો જોઇને ભડક્યું પાકિસ્તાન

PM મોદીએ રવિવારે દેશની નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતુ. પીએમ મોદીના નેતૃત્વમાં બનેલ આ નવું સંસદ ભવન અંગ્રેજોના સમયમાં બનેલા સંસદ ભવનનું સ્થાન લઈ ગયું છે. નવા સંસદ ભવનની બિલ્ડીંગમાં 'અખંડ ભારત'નો નકશો જોઈને પડોશી દેશો નારાજ થઈ ગયા છે.

પૂર્વ પીએમ કેપી શર્મા ઓલી અને બાબુરામ ભટ્ટરાઈએ નેપાળમાં વાંધો ઉઠાવ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અખંડ ભારતની તસવીર પર નારાજગી વ્યક્ત કરી છે.

Akhand Bharat

પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતીય સંસદમાં બતાવવામાં આવેલી ભીંતચિત્ર કલાને લઈને ચિંતિત છે, જેને ત્યાંના ભાજપના નેતાઓ 'અખંડ ભારત' કહી રહ્યા છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું, "ભારતીય સંસદની નવી ઇમારતમાં સ્થાપિત પ્રાચીન ભારતનો નકશો પાકિસ્તાન અને અન્ય પડોશી દેશોનો વિસ્તાર પણ દર્શાવે છે. આ બદનિયતી છે, જે ભારતની વિસ્તરણવાદી માનસિકતાને છતી કરે છે." તેના પડોશી દેશોની વિચારધારા અને સંસ્કૃતિને અને ધાર્મિક લઘુમતીઓને પણ દબાવવા માટે માંગે છે."

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું, 'અમે વિનંતી કરીએ છીએ કે ભારતે વિસ્તરણવાદી વિચારધારાથી દૂર રહેવું જોઈએ અને તેના પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ રીતે વિવાદોનું સમાધાન કરવા આગળ આવવું જોઈએ.'

તમને જણાવી દઈએ કે ભારતીય સંસદની નવી ઈમારતમાં 'અખંડ ભારત' ભીંતચિત્રમાં પ્રાચીન ભારતનો નકશો બતાવવામાં આવ્યો છે, જેના પર ભારતીય રાજ્યોના પ્રાચીન નામ લખેલા છે.

હાલના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, માલદીવ, શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ અને ભારત આ ભીંતચિત્ર કલામાં એકસાથે જોઈ શકાય છે. 'અખંડ ભારત' ભીંતચિત્રના ઉત્તર ભાગમાં માનસહરી, તક્ષશિલા, ઉત્તરપથ, પુરુષપુર, કામરૂપ અને પૂર્વમાં પ્રાગજ્યોતિષપુર દર્શાવવામાં આવ્યા છે.

અખંડ ભારતની આ ભીંતચિત્ર કલામાં લુમ્બિની અને કપિલવસ્તુ પણ દર્શાવવામાં આવી છે જે હાલમાં નેપાળનો એક ભાગ છે. આ જોઈને નેપાળના ડાબેરી નેતાઓ ભારે નારાજ થઈ ગયા છે. વિપક્ષના નેતા કેપી શર્મા ઓલીએ તો પુષ્પ કમલ દહલ પ્રચંડને પણ આ મુદ્દો ભારતીય નેતૃત્વ સમક્ષ ઉઠાવવા કહ્યું છે.

ઓલીએ કહ્યું, "ભારત જેવો દેશ જે પોતાને એક પ્રાચીન અને સ્થાપિત દેશ તરીકે અને લોકશાહીના મોડલ તરીકે જુએ છે, નેપાળના પ્રદેશોને તેના નકશામાં રાખે છે અને સંસદમાં નકશો લટકાવી દે છે, તે યોગ્ય માનવામાં આવતું નથી."

કેપી શર્મા ઓલીએ કહ્યું, "હું કહીશ કે આપણા પીએમ પ્રચંડે તેમની ભારત મુલાકાત દરમિયાન ભારત પાસેથી આ અંગે સ્પષ્ટતા માંગવી જોઈએ." નેપાળના પૂર્વ પીએમ બાબુરામ ભટ્ટરાઈએ પણ ભારતને ચેતવણી આપી છે.

બાબુરામ ભટ્ટરાયે કહ્યું હતું કે આ અખંડ ભારતના ગ્રાફિટીથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી શકે છે. તેણે ભારત પાસેથી તાત્કાલિક સ્પષ્ટતાની પણ માંગ કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X