જમ્મુઃ પાકિસ્તાન તરફથી ફાયરિંગ સતત ચાલુ, કઠુઆના હીરાનગરમાં એકનું મોત
પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ સતત ચાલુ છે અને બુધવારે પાકે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મોર્ટારથી ભારે ફાયરિંગ કરી. આ મોર્ટાર ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે.
પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ સતત ચાલુ છે અને બુધવારે પાકે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મોર્ટારથી ભારે ફાયરિંગ કરી. કઠુઆના હીરાનગર સેક્ટરમાં થયેલી આ મોર્ટાર ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે અને બે વ્યક્તિ ઘાયલ થયા છે. મંગળવારે પાકના અખનૂર સેક્ટરમાં થયેલી ફાયરિંગમાં આઠ મહિનાના એક બાળકનું મોત નીપજ્યુ હતુ. મંગળવારે રાતે પણ પાકિસ્તાનના રેંજર્સ તરફથી ભારે ફાયરિંગ ચાલુ હતુ. પાકની ફાયરિંગનો આજે સતત ચોથો દિવસ છે.

બીએસએફની 30 પોસ્ટને બનાવી નિશાન
પાકિસ્તાની રેંજર્સ ઈન્ટરનેશનલ બોર્ડર(આઈબી) પર બીએસએફની 30 પોસ્ટને નિશાન બનાવી રહી છે. પાક રેંજર્સની ફાયરિંગના કારણે જમ્મુના લગભગ બે ડઝન ગામો પ્રભાવિત થયા છે જે આઈબી પર છે. મંગળવાર અને બુધવારે થયેલી ફાયરિંગમાં અત્યાર સુધી કુલ સાત લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. વળી, એક બીએસએફ જવાન પણ ફાયરિંગમાં ઘાયલ થયા છે. ગયા ગુરુવારે આ ફાયરિંગમાં બે નાગરિકોના મોત થયા હતા અને બીએસએફના જવાન સીતારામ ઉપાધ્યાય પણ શહીદ થઈ ગયા હતા. પાકની ફાયરિંગના કારણે આજે પણ જમ્મુ બોર્ડર પર સ્થિત બધી શાળાઓ અને કોલેજો બંધ છે અને સાથે જ લોકોને ફરીથી અપીલ કરવામાં આવી છે કે તે પોત-પોતાના ઘરોમાં જ રહે. મંગળવારે વળતી કાર્યવાહીમાં બીએસએફના પાકિસ્તાનની પાસવાં પોસ્ટ પર હાજર વૉચ ટાવરને ધ્વસ્ત કરી દીધો છે. આ ઉપરાંત બીએસએફએ પાકના બંકર્સને પણ તબાહ કરી દીધા છે.
પાકના ઘણા બંકર્સ તબાહ
રવિવારે પાકિસ્તાની રેંજર્સે બીએસએફને ફાયરિંગ રોકવાની અપીલ કરી હતી. રવિવારે જ બીએસએફની વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના સિયાળકોટ વિસ્તારમાં ઘણા લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ પાકિસ્તાન કેટલીક મિનિટો માટે ચૂપ હતો. આ કાર્યવાહી બાદ પાકિસ્તાને બીએસએફને અપીલ કરી હતી કે ફાયરિંગ થોડાક દિવસો માટે બંધ કરી દેવામાં આવે. છેલ્લા ચાર દિવસોથી જમ્મુમાં ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઈ રહી હતી. પાકિસ્તાની રેંજર્સ રહેણાંક વિસ્તારોમાં પણ મોર્ટારથી હુમલો કરતા હતા. ત્યારબાદ બીએસએફે વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણા બંકર્સ તબાહ કરી દીધા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
