41 કલાક બાદ પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન
નવી દિલ્હી, 11 ઓક્ટોબર: પાકિસ્તાને પોતાની નાપાક હરકતોને અંજામ આપતાં ફરી એકવાર ફાયરિંગ શરૂ કરી દિધું છે. કાશ્મીરના પૂંછ સેક્ટરમાં ચાલી રહેલ ફાયરિંગમાં પાકિસ્તાને બીએસએફની ચાર ચોકીઓને નિશાન બનાવી છે. ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ભારત દ્વારા જવાબી કાર્યવાહી શરૂ કરી દિધી છે. બંને તરફથી ગોળીબારી ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મૂ બોર્ડર પર પાકિસ્તાન દ્વારા ગત કેટલાક દિવસોથી ગોળીબારી થઇ રહી છે. કાનાચક, પૂંછ અને સેક્ટરમાં ભારતીય ચોકીઓને મુંહતોફ જવાબ પણ આપ્યો છે પરંતુ પાકિસ્તાન પોતાની મંશા સ્પષ્ટ કરી રહ્યું નથી.

થોડા દિવસો પહેલાં જ ભારત સરકારે કહ્યું કે પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામના ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખતા બોર્ડરની સ્થિતીના અનુસાર ભારત જવાબ આપતું રહેશે અને તેની સાથે કોઇ ફ્લેગ મીટિંગ કરશે નહી.












Click it and Unblock the Notifications
