Parliament round up day 7 : સંસદમાં છઠ્ઠા દિવસે શું થયું ? જાણો વિસ્તારથી...
રાજ્યસભામાં 12 સાંસદોના સસ્પેન્શનને લઈને મડાગાંઠ ચાલુ રહી છે. કારણ કે, ચાલુ શિયાળુ સત્રના સાતમા દિવસે વિરોધ પક્ષો આ મુદ્દા પર પોતાના વલણ પર અડગ રહ્યા છે.
Parliament round up day 7 : રાજ્યસભામાં 12 સાંસદોના સસ્પેન્શનને લઈને મડાગાંઠ ચાલુ રહી છે. કારણ કે, ચાલુ શિયાળુ સત્રના સાતમા દિવસે વિરોધ પક્ષો આ મુદ્દા પર પોતાના વલણ પર અડગ રહ્યા છે. આ ઉપરાંત નેતાઓએ સંસદ પરિસરમાં 'ધરણા' યોજ્યા હતા, જેમાં ઘણા નેતાઓએ લીધેલા પગલાને રદ્દ કરવાની માગ કરતા પ્લેકાર્ડ ધરાવેલા જોયા હતા.
શિયાળુ સત્રની શરૂઆતથી જ રાજ્યસભામાં બેક ટૂ બેક સ્થગિતતા જોવા મળી રહી છે અને તે મંગળવારના રોજ પણ યથાવત રહી હતી. જ્યારે લોકસભામાં કોંગ્રેસે ગયા અઠવાડિયે પાછા ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતો દ્વારા વર્ષભરના આંદોલનને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. જાણે શિયાળુ સત્રના સાતમાં દિવસે સંસદમાં શું શું થયું?
રાહુલ ગાંધી કૃષિ કાયદાના વિરોધ દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર, નોકરીની માંગણી કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારના રોજ રાષ્ટ્રીય રાજધાનીની સરહદો પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ વર્ષથી ચાલતા આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના સંબંધીઓ માટે કેન્દ્ર પાસેથી વળતર અને નોકરીની માગ કરી હતી.
શૂન્ય કલાક દરમિયાન આ મુદ્દો ઉઠાવતા, રાહુલ ગાંધીએ એક વર્ષ લાંબા આંદોલન દરમિયાન ખેડૂતોના મૃત્યુનો ડેટા જાળવવામાં અસમર્થતા માટે મોદી સરકારની ટીકા કરી અને પંજાબ અને હરિયાણામાં વળતર ચૂકવવામાં આવેલા અને નોકરીઓ આપવામાં આવેલા ખેડૂતોની સૂચિ રજૂ કરી હતી.
કોંગ્રેસના સભ્યોએ આ મુદ્દે સરકાર પાસેથી નિવેદનની માગ કરી હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા એનસીપી અને ડીએમકેના સભ્યો સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. ખેડૂતોના આંદોલનમાં લગભગ 700 ખેડૂતોના મોત થયા હતા.
વડાપ્રધાને ખેડૂતોની માફી માંગી અને પોતાની ભૂલ સ્વીકારવી જોઇએ : રાહુલ ગાંધી
કોંગ્રેસના સભ્યએ કહ્યું કે, 30 નવેમ્બરના રોજ કૃષિ મંત્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, આંદોલનમાં કેટલા ખેડૂતોના મોત થયા? કૃષિ પ્રધાને કહ્યું કે, તેમની પાસે કોઈ ડેટા નથી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "અમને જાણવા મળ્યું છે કે, પંજાબ સરકારે 400 થી વધુ ખેડૂતોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યું છે. આ 400 ખેડૂતોમાંથી 152ને નોકરી પણ આપવામાં આવી છે. મારી પાસે હરિયાણાના 70 ખેડૂતોની વધુ એક યાદી છે. વડાપ્રધાને માફી માંગી હતી અને તમારી સરકાર કહી રહી છે કે, કોઈ ખેડૂત મૃત્યુ પામ્યો નથી અથવા તમારી પાસે ખેડૂતોની યાદી નથી.
વાયનાડના લોકસભા સભ્યએ કહ્યું કે, "આ નામો અહીં છે" કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષે લોકસભામાં યાદીઓ સબમિટ કરતા પહેલા કહ્યું કે, "હું ઇચ્છું છું કે ખેડૂતોને તેમના અધિકારો આપવામાં આવે. વડાપ્રધાન પહેલા જ માફી માંગી ચૂક્યા છે. હવે ખેડૂતોને વળતર અને નોકરી મળવી જોઈએ."
રાજ્ય સભામાં મડાગાંઠ માટે સરકાર જવાબદાર : ખડગે
રાજ્યસભામાં મડાગાંઠ માટે સરકારને જવાબદાર ઠેરવતા, વિપક્ષી સભ્યોએ મંગળવારના રોજ જણાવ્યું હતું કે, તેઓ 12 સાંસદોના સસ્પેન્શન સામે તેમના સંયુક્ત વિરોધ સાથે જ્યાં સુધી તે રદ્દ ન થાય ત્યાં સુધી ચાલુ રાખશે.
સંસદની બહાર પત્રકારોને સંબોધતા, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે, સસ્પેન્શન નિયમો વિરુદ્ધ અને અલોકતાંત્રિક છે. તેમણે કહ્યું કે, તેઓ સસ્પેન્ડ કરાયેલા સભ્યોના સમર્થનમાં વિરોધ કરવાનું ચાલુ રાખશે અને તેમની સાથે ધરણા પર બેસશે અને લોકસભાના સભ્યોને પણ તેમની સાથે સમર્થનમાં બેસવા વિનંતી કરશે.
ખડગેએ જણાવ્યું હતું કે, રાજ્યસભામાં મડાગાંઠ માટે સરકાર સંપૂર્ણપણે જવાબદાર છે. અમે અધ્યક્ષ અને સરકારને મળી રહ્યા છીએ અને ભારપૂર્વક જણાવ્યું છે કે, તેઓ આ રીતે સભ્યોને સસ્પેન્ડ કરી શકે નહીં. ગત ચોમાસા સત્ર દરમિયાન જે બન્યું તેના માટે તેઓએ ખોટી રીતે અને અલોકતાંત્રિક રીતે 12 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે.
ખડગેએ જણાવ્યું હતું કે, તેઓએ પહેલા દરેક સભ્યનું અલગથી નામ લેવું પડશે અને જણાવવું પડશે કે શા માટે તેમાંથી દરેકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તે પછી જ સસ્પેન્શન થઈ શકે છે અને તે પણ 11 ઓગસ્ટમાં થવું જોઈએ. જ્યારે ગૃહ સ્થગિત કરવામાં આવે છે, ત્યારે સરકારને પાછલા સત્ર માટે સભ્યોને સસ્પેન્ડ કરવાનો કોઈ અધિકાર નથી. તેમની સસ્પેન્શનની કાર્યવાહી ન તો નિયમો મુજબ છે કે ન તો બંધારણ મુજબ.
અમે કોઈપણ સરમુખત્યારશાહી સાંખી લેશું નહીં
ખડગેએ જણાવ્યું હતું કે, એવું લાગે છે કે, સરકારનો ઈરાદો સદનને કામ ન કરવા દેવાનો સ્પષ્ટ છે. જ્યાં સુધી તેમનું સસ્પેન્શન પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, "અમે અમારા અવાજને દબાવવા દઈશું નહીં. લોકશાહીમાં આનું કોઈ સ્થાન નથી અને અમે કોઈ સરમુખત્યારશાહીને મંજૂરી આપીશું નહીં. મોદીજી સરમુખત્યારશાહી સાથે સંસદ ચલાવવા માંગે છે. અમે આવું થવા દઈશું નહીં. ઓગસ્ટમાં ગત સત્રમાં અવ્યવસ્થિત આચરણ કરવા બદલ વિપક્ષના બાર સાંસદો જેમાં કોંગ્રેસના છ, તૃણમૂલ કોંગ્રેસ અને શિવસેનાના બે-બે અને સીપીઆઈ અને સીપીઆઈ(એમ)ના એક-એક સાંસદને સંસદના સમગ્ર શિયાળુ સત્ર માટે ગયા સોમવારના રોજ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
એકીકૃત ડેટાબેઝની જોગવાઈને સમાવવા માટે જન્મ અને મૃત્યુ અધિનિયમમાં સુધારો
સરકારે રાજ્યોમાં નાગરિક નોંધણી રેકોર્ડના એકીકૃત ડેટાબેઝ અને રાષ્ટ્રીય સ્તરે ડેટાબેઝ સાથે એકીકરણની જોગવાઈને સમાવવા માટે જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમમાં સુધારાનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. મંગળવારના રોજ લોકસભામાં માહિતી આપવામાં આવી હતી.
સરકાર રાષ્ટ્રીય સ્તરે જન્મ અને મૃત્યુ નોંધણીના ડેટાને જાળવવાનું વિચારી રહી છે કે કેમ તે જાણવા માગતા પ્રશ્નના જવાબમાં, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, જન્મ અને મૃત્યુની નોંધણી (RBD) અધિનિયમ, 1969માં સુધારાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ટિપ્પણીઓ માટે 18 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી સાર્વજનિક ડોમેનમાં મૂકવામાં આવે છે.
અન્ય બાબતોની સાથે ડ્રાફ્ટ સુધારામાં રાજ્ય સ્તરે નાગરિક નોંધણી રેકોર્ડના એકીકૃત ડેટાબેઝને જાળવવા અને રાષ્ટ્રીય સ્તરે ડેટાબેઝ સાથે એકીકરણ માટે જોગવાઈનો સમાવેશ થાય છે. તેમાં વિવિધ ડેટાબેઝને અપડેટ કરવા માટે જન્મ અને મૃત્યુના ડેટાબેઝનો ઉપયોગ કરવાની જોગવાઈનો પણ સમાવેશ થાય છે.
BSF નો અધિકારક્ષેત્ર કેમ વધાર્યો?
ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે પીલીભીતના સાંસદ વરુણ ગાંધી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, BSFને ડ્રોન કેટલાક રાજ્યોમાં BSFના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં વિસ્તરણનો હેતુ, દેખરેખ અને દાણચોરી માટે રાષ્ટ્ર વિરોધી દળો દ્વારા માનવરહિત હવાઈ વાહન વગેરે જેવી ટેક્નોલોજીના ઉપયોગને પગલે સરહદ રક્ષકની ફરજો વધુ અસરકારક રીતે નિભાવવા માટે સશક્તિકરણ કરવાનો છે.