સંસદ રાઉન્ડઅપ: રાજ્યસભામાં આ બિલ થયા પસાર, રાહુલ ગાંધીએ સરકાર પર લગાવ્યા આરોપ
સંસદના બારમા દિવસે વિપક્ષે રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શનને રદ કરવાની માંગ સાથે વિરોધને વધુ તીવ્ર બનાવ્યો હતો. 12 સાંસદોના સસ્પેન્ડ કરવાના વિરોધમાં વિપક્ષી નેતાઓએ દિલ્હીમાં રેલી કાઢી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દ
સંસદના બારમા દિવસે વિપક્ષે રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શનને રદ કરવાની માંગ સાથે વિરોધને વધુ તીવ્ર બનાવ્યો હતો. 12 સાંસદોના સસ્પેન્ડ કરવાના વિરોધમાં વિપક્ષી નેતાઓએ દિલ્હીમાં રેલી કાઢી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમા ખાતે રાજ્યસભાના 12 સાંસદોને સસ્પેન્ડ કરવા સામે વિરોધ પક્ષની વિરોધ કૂચમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારની ટીકા કરી હતી.

તેમણે કહ્યું કે કેન્દ્ર સંસદમાં બિલ પછી બિલ કોઈ પણ ચર્ચા વિના જ દિન-પ્રતિદિન પસાર કરી રહ્યા છે. "સંસદ ચલાવવાનો આ રસ્તો નથી. વડા પ્રધાન ગૃહમાં આવતા નથી. અમને રાષ્ટ્રીય મહત્વનો કોઈ મુદ્દો ઉઠાવવાની મંજૂરી નથી. આ લોકશાહીની નિર્મમ હત્યા છે.
આ બિલ કરાયા પસાર
12 સાંસદોના સસ્પેન્શનને ભારતના લોકોના અવાજને કચડી નાખવાના પ્રતીક તરીકે ગણાવતા કોંગ્રેસના નેતાએ કહ્યું, "તેઓએ કંઈ ખોટું કર્યું નથી. અમને સંસદમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાની મંજૂરી નથી." સંસદે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટરનો કાર્યકાળ વર્તમાન બે વર્ષથી મહત્તમ પાંચ વર્ષ સુધી લંબાવવાનું બિલ પસાર કર્યું છે.
દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2021 મંગળવારે રાજ્યસભા દ્વારા ધ્વની મતથી પસાર કરવામાં આવ્યું હતું. લોકસભા પહેલા જ 9 ડિસેમ્બર, 2021ના રોજ સરકાર બિલ પસાર કરી ચૂકી છે.
આ રાજ્યો વચ્ચે સીમા વિવાદ
સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે આંધ્ર પ્રદેશ-ઓડિશા, હરિયાણા-હિમાચલ પ્રદેશ, લદ્દાખ-હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર-કર્ણાટક, આસામ-અરુણાચલ પ્રદેશ, આસામ-નાગાલેન્ડ, આસામ-મેઘાલય, આસામ-મિઝોરમ વચ્ચે સીમા વિવાદ છે.
8.81 લાખથી વધુ લોકોએ દેશની નાગરિકતા છોડી
2015 થી 8.81 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો છે, ગૃહ મંત્રાલય (MHA) એ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડીના પ્રશ્નના જવાબમાં 14 ડિસેમ્બરે લોકસભામાં માહિતી આપી હતી. ગૃહ મંત્રાલયે પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, MEA (વિદેશ મંત્રાલય) પાસે ઉપલબ્ધ માહિતી મુજબ છેલ્લા સાત વર્ષમાં 30 સપ્ટેમ્બર, 2021 સુધી 8,81,254 ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો છે.
'દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2021' દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946માં સુધારો કરવા માંગે છે.
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ 2019 થી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે અને આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષમાં 5મી ડિસેમ્બર સુધી 206 આતંકવાદી ઘટનાઓ બની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
