For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પવન બંસલે રાજીનામુ આપી દેવુ જોઇએ: રામગોપાલ યાદવ

|
Google Oneindia Gujarati News

ram gopal yadav
નવી દિલ્હી, 6 મે: રેલવે બોર્ડમાં ઉચ્ચ પદ પર નિમણૂંક કરવા માટે લાંચ લેવાના આરોપમાં રેલવેમંત્રી પવન બંસલના ભાણીયા વિજય સિંગલાને સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયા બાદ બંસલને હટાવી દેવાની માંગે જોર પકડ્યું છે. વિપક્ષ ઉપરાંત સમાજવાદી પાર્ટીએ પણ બંસલને મંત્રિમંડળથી હટાવવા અવાજ ઉઠાવ્યો છે.

રેલવે બોર્ડ લાંચ કાંડ પર સમાજવાદી પાર્ટીએ મહાસચિવ રામગોપાલ યાદવે સોમવારે જણાવ્યું કે કેન્દ્રીય રેલમંત્રી પવન કુમાર બંસલને જવું જ પડશે. તેમણે જણાવ્યું કે જો આરોપ ગંભીર છે તો મંત્રીને રાજીનામું ધરી દેવું જોઇએ. તેમણે સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યું કે લાંચ જેવા ગંભીર મામલામાં જો કોઇ અન્ય વ્યક્તિ પકડાયું હોત તો તુરંત કાર્યવાહી થાય છે. પરંતુ આ મામલામાં સરકાર તરફથી કોઇ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

રામગોપાલ યાદવે જણાવ્યું કે આ ગંભીર વિષય છે અને બંસલે રાજીનામુ આપી દેવું જોઇએ. સરકાર તેમને બચાવવાની કોશિશ કરી રહી છે, નહીંતર તેમને પદ છોડવું પડત. તેમણે જણાવ્યું કે બંસલે રાજીનામુ આપી દેવું જોઇએ, જેથી તપાસમાં અસર ના પડે. વિપક્ષ દ્વારા રાજીનામાનું દબાણ બનાવવા છતાં કોંગ્રેસે રવિવારે બંસલના રાજીનામાનો ઇનકાર કરી દીધો છે તથા તેમની સામે ઝલદી કાર્યવાહી ના કરવામાં આવે તેવી વાત કહી.

English summary
Pawan Kumar Bansal will have to go said Samajwadi Party leader Ramgopal yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X