Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પવન બંસલે રાજીનામુ આપી દેવુ જોઇએ: રામગોપાલ યાદવ

ram gopal yadav
નવી દિલ્હી, 6 મે: રેલવે બોર્ડમાં ઉચ્ચ પદ પર નિમણૂંક કરવા માટે લાંચ લેવાના આરોપમાં રેલવેમંત્રી પવન બંસલના ભાણીયા વિજય સિંગલાને સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયા બાદ બંસલને હટાવી દેવાની માંગે જોર પકડ્યું છે. વિપક્ષ ઉપરાંત સમાજવાદી પાર્ટીએ પણ બંસલને મંત્રિમંડળથી હટાવવા અવાજ ઉઠાવ્યો છે.

રેલવે બોર્ડ લાંચ કાંડ પર સમાજવાદી પાર્ટીએ મહાસચિવ રામગોપાલ યાદવે સોમવારે જણાવ્યું કે કેન્દ્રીય રેલમંત્રી પવન કુમાર બંસલને જવું જ પડશે. તેમણે જણાવ્યું કે જો આરોપ ગંભીર છે તો મંત્રીને રાજીનામું ધરી દેવું જોઇએ. તેમણે સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યું કે લાંચ જેવા ગંભીર મામલામાં જો કોઇ અન્ય વ્યક્તિ પકડાયું હોત તો તુરંત કાર્યવાહી થાય છે. પરંતુ આ મામલામાં સરકાર તરફથી કોઇ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

રામગોપાલ યાદવે જણાવ્યું કે આ ગંભીર વિષય છે અને બંસલે રાજીનામુ આપી દેવું જોઇએ. સરકાર તેમને બચાવવાની કોશિશ કરી રહી છે, નહીંતર તેમને પદ છોડવું પડત. તેમણે જણાવ્યું કે બંસલે રાજીનામુ આપી દેવું જોઇએ, જેથી તપાસમાં અસર ના પડે. વિપક્ષ દ્વારા રાજીનામાનું દબાણ બનાવવા છતાં કોંગ્રેસે રવિવારે બંસલના રાજીનામાનો ઇનકાર કરી દીધો છે તથા તેમની સામે ઝલદી કાર્યવાહી ના કરવામાં આવે તેવી વાત કહી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X