Video: રસ્તા વચ્ચે ભાજપા નેતાની કબર બનાવી, જાણો આખો મામલો
યુપી સરકાર ભલે પ્રદેશમાં ખાડા મુક્ત કરવાનો દાવો કરતી હોય પરંતુ સંતકબીર નગર જિલ્લામાં યુપી સરકારના દાવા ફેલ થતા જોવા મળી રહ્યા છે.
યુપી સરકાર ભલે પ્રદેશમાં ખાડા મુક્ત કરવાનો દાવો કરતી હોય પરંતુ સંતકબીર નગર જિલ્લામાં યુપી સરકારના દાવા ફેલ થતા જોવા મળી રહ્યા છે. રસ્તા પર ખાડાથી પરેશાન લોકોએ મંગળવારે રસ્તા પર ભાજપા નેતાની કબર બનાવી સરકાર સામે જોરદાર પ્રદર્શન કર્યું છે.
આખો મામલો સંતકબીર નગર ખલીલાબાદ વિસ્તારનો છે. વીડિયોમાં દેખાઈ રહેલા રસ્તા પર દરેક કલાકમાં કોઈ એક અધિકારી પસાર થાય છે પરંતુ કોઈને પણ આ રસ્તા પર પડેલા ખાડા નથી દેખાતા. ખલીલાબાદ નગરપાલિકા પણ અહીંથી ખાસ દૂર નથી. આખરે રસ્તા પર મોટા મોટા ખાડાથી પરેશાન થઈને સ્થાનીય લોકોએ રસ્તા પર ભાજપા નેતાની કબર બનાવીને રોડ જામ કર્યો. તેમને સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી.
આ મામલે સૂચના મળ્યા પછી SDM એસપી પોલીસ ફોર્સ સાથે પહોંચ્યા. SDM ઘ્વારા પ્રદર્શન કરી રહેલા લોકોને એક દિવસમાં રસ્તો બનાવવા અંગે આશ્વાશન આપ્યું. ત્યારપછી ગુસ્સે ભરાયેલા લોકોએ જામ ખોલી નાખ્યો. એટલું જ નહીં પરંતુ સ્થાનીય લોકોએ પોલીસને ચેતવણી આપી કે જો રસ્તો એક દિવસમાં નહીં બન્યો તો તેઓ ફરી રોડ જામ કરીને પ્રદર્શન કરશે.