અતીક-અશરફ મર્ડર અન યુપીમાં 183 એન્કાઉન્ટરની તપાસની માંગ, સુપ્રિમ કોર્ટમાં અરજી
યૂપીના પ્રયાગરાજમાં ઉમેશપાલ હતયાકાંડના ગૈગસ્ટર અતીકના આતંકનું ચેપ્ટર બંધ થઇ ચૂક્યુ છે. છેલ્લા ત્રણ દિવસની અંદર જે કઇ થયુ તેનાથી અતીક સહીત તેના આતંકનો અંત આવી ગયો હતો. પોલીસ કસ્ટડીમાં ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઇ અશરફની હત્યા કાયદો અને વ્યવસ્થા પર મોટો સવાલ ઉભો કરે છએ. એવાામાં વર્ષ 2017 બાદથી થયેલી કુલ 183 એન્કાઉન્ટરની તપાસની માંગને લઇને એક અરજી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી છે.

સુપ્રિેમ કોર્ટમાં આ જાહેર હિતની અરજી એડવોકેટ વિશાલ તિવાલીએ દાખલ કરી છે. જેમા 2017 થી લઇને અત્યાર સુધીમાં 183 એકાઉન્ટર તપાસની માગ કરવામાં આવી છે. એડવોકેટ વિશાલે સુપ્રિમ કોર્ટ પાસે આના માટે સુપ્રિમ કોર્ટના એક પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર વિશેષજ્ઞ સમિતિનુ ગઠન કરવાની માગ કરવામાં આવી છે.
અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, ઉત્તર પ્રદેશ પોલીસે ડેયરડેવિલ્સ બનવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય અરજીમાં કાનપુર એનકાઉન્ટર કેસ 2020 જેમાં વિકા દુબે અને અને તેના સહયોગીઓની તપાસ અને પુરાવાનો રિકોર્ડ બનાવવા માટે કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઇને ફેક એનકાઉન્ટરની તપાસ ાટે નિર્દેશ આપવા માટે પણ કહેવામાં આવ્યુ છએ.
અરજીમાં એડવોકેટ વિશાલે અતીક અહમદ અને તેના ભાઇ અશરફની હત્યા અંગે પુછપરછ કરવાની માગ કરવામાં આવી છે . જેની પોલીસની હાજરીમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
