બોમ્બે હાઇકોર્ટમાં નરેન્દ્ર મોદી સરકાર સામે વચનભંગનો આરોપ લગાવતી જનહિત અરજી
મુંબઇ, 27 જૂન : નરેન્દ્ર મોદી સરકારને હજી એક મહિનો પૂરો થયો છે. પાંચ વર્ષમાં જનલક્ષી કર્યોના વચન આપીને સત્તા પર આવેલી ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકાર સામે એક મહિનામાં જ રોષ ફાટી નીકળ્યો છે. તેનો તાજો દાખલો બોમ્બે હાઇકોર્ટમાં નરેન્દ્ર મોદી સરકાર સામે દગો દેવા બદલ નોંધાવવામાં આવેલી જાહેર હિતની અરજી છે.
મુંબઇ સ્થિત એક સંસ્થા 'ઓલ ઇન્ડિયા એન્ટીકરપ્શન એન્ડ સિટિઝન્સ વેલ્ફેર કોર કમિટી'એ પોતાની અરજીમાં નરેન્દ્ર મોદી સરકાર સામે વચનભંગનો આરોપ લગાવતા સવાલ કર્યો છે કે શું આ જ છે મોદીના અચ્છે દિન?
'ઓલ ઇન્ડિયા એન્ટીકરપ્શન એન્ડ સિટિઝન્સ વેલ્ફેર કોર કમિટી' અને તેના સ્થાપક એડવોકેટ એમ વી હોલમાગીએ બોમ્બે હાઇકોર્ટમાં કરેલી પીઆઇએલમાં નવી સરકારે કરેલા રેલવે ભાડામાં વધારા તેમજ અન્ય વસ્તુઓના ભાવમાં કરેલા વધારાને 'ગુનાઇત વિશ્વાસભંગ' ગણાવ્યો છે.

આ અંગે બોમ્બે હાઇકોર્ટમાં જસ્ટિસ અભય ઓકા અને એ ચાંદપરકરની ખંડપીઠે જણાવ્યું છે કે 'કોર્ટ રેલવે ભાડામાં થયેલા વધારા સંબંધિત એક પીઆઇએલ અગાઉ પણ નકારી ચૂકી છે. વહીવટી કાર્યાલયે અરજીમાં કેટલાક વાંધા પણ ઉઠાવ્યા છે. તેને દૂર કરવા પડે એમ છે.'
નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સરકાર સામે કરવામાં આવેલી પીટિશનમાં હાઇકોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે આપેલા વચનો પુરાં નહીં કરી શકનારી સરકાર પાસેથી રાજીનામુ લઇ લેવામાં આવે. આ અરજીમાં વડાપ્રધાન, તેમના મંત્રીમંડળ અને ભાજપ સામે આરોપો મુકવામાં આવ્યા છે.
અરજી કરનારા હોમાલગીએ જણાવ્યું હતું કે 'અચ્છે દિન આને વાલે હૈની વાતો કરીને નરેન્દ્ર મોદીએ વ્યાપક જનસમર્થન તો મેળવી લીધું છે, પરંતુ સત્તામાં આવ્યાના એક જ મહિનામાં રેલવેમાં ભાડા વધારો કર્યો છે. સરકારે પોતાના વચન પૂરા કર્યા નથી આથી જનતાને ફેરવિચારની તક મળવી જોઇએ.'
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
