Pinjab : ફ્રી-શીપ કાર્ડ અને સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ, આવી રીતે કરો આવેદન
પંજાબની ભગવંત માન સરકાર શિક્ષણમાં એક પછી એક ક્રાંતિકારી પગલા ભરી રહી છે. આ ક્રમમાં સરકારે રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ફ્રી-શીપ કાર્ડ અને સ્કોલરશીપ માટે વિશેષ યોજના અમલમાં મુકી છે.
પંજાબના સામાજિક ન્યાય, સશક્તિકરણ અને લઘુમતી મંત્રી ડૉ. બલજીત કૌરે આ મુદ્દે વાત કરતા જણાવ્યુ કે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યંત ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરવામાં સહાય પૂરી પાડવાનો છે.

પંજાબ સરકારની આ યોજના હેઠળ ફ્રી-શિપ કાર્ડ જારી કરવા અને ડો. આંબેડકર શિષ્યવૃત્તિ પોર્ટલ https://scholarships.punjab.gov પર 10મા ધોરણ પછી ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે અરજી કરવા ઑનલાઇન પોર્ટલ ખુલ્લુ મુકાયુ છે.
મંત્રી ડૉ. બલજીત કૌરે જણાવ્યુ કે, આ યોજનાની સૂચનાઓનો ઉલ્લેખ GOI માર્ગદર્શિકા માર્ચ 2021 માં યોજનાની વિગતોમાં કરવામાં આવ્યો છે. શિષ્યવૃત્તિ સંબંધિત તકનીકી સમસ્યાઓ માટે [email protected] પર ઇમેઇલ કરી શકાશે. આ અરજી કરવા માટે અરજદાર પંજાબનો રહેવાસી હોવો જોઈએ અને અનુસૂચિત જાતિનો હોવો જોઈએ.
આના માટે અરજી કરનારા વિદ્યાર્થીના માતા-પિતા-વાલીની વાર્ષિક કૌટુંબિક આવક 2.5 લાખથી વધુ ન હોવી જોઈએ અને સરકારી, માન્યતાપ્રાપ્ત અથવા ખાનગી યુનિવર્સિટી/કોલેજ/શાળામાં અભ્યાસ કરતા હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. તેમણે એ પણ કહ્યું કે, ફ્રી-શિપ કાર્ડ ફક્ત નવા વિદ્યાર્થીઓને જ આપવામાં આવશે.
ફ્રી-શિપ કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા પોર્ટલના હેલ્પ મેનૂમાં સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન અને ફ્રી-શિપ કાર્ડ મેન્યુઅલમાં ઉલ્લેખિત છે કરાઈ છે. રિન્યુઅલ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની જરૂર નથી, તેમની અરજીઓ સંસ્થાના IDમાં આપમેળે જનરેટ થઈ જશે.
આ ઉપરાંત શિષ્યવૃત્તિ ચુકવવા અરજદારનું બેંક ખાતું આધાર સીડ સાથે એક્ટિવ મોડમાં હોવું જોઈએ અને નવા વિદ્યાર્થીઓ માટે તહસીલદાર/નાયબ તહસીલદાર દ્વારા જારી કરાયેલ આવકનું પ્રમાણપત્ર ધ્યાનમાં લેવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમની સંસ્થાઓમાં ફ્રી-શિપ કાર્ડથી વિદ્યાર્થીઓને પ્રવેશ ફી લીધા વિના પ્રવેશ આપશે અને વિદ્યાર્થી સંસ્થામાં પ્રવેશ લીધા પછી તરત જ શિષ્યવૃત્તિ માટે અરજી કરે તેની ખાતરી કરશે.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
