મોદી બ્રાઝીલ માટે રવાના, કોઇને ના બનાવ્યા 'નંબર 2'

નવી દિલ્હી, 13 જુલાઇ: નરેન્દ્ર મોદી સરકારમાં નંબર 2ના સ્થાન પર રાજનાથ સિંહ અથવા અરૂણ જેટલી? આ ખૂબ જ ચર્ચિત સવાલના સાંકેતિક જવાબ રવિવારે મોદીએ બ્રાઝીલ પ્રવાસ પર જતા આપી દીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બ્રાઝીલના પ્રવાસ પર જતી વખતે સરકારમાં કોઇને નંબર 2 બનાની નથી ગયા.

અત્યાર સુધી એ પરંપરા રહી છે કે વડાપ્રધાન વિદેશ પ્રવાસ પર જતી વખતે દેશમાં કામકાજને સંભાળવાની જવાબદારી કેબિનેટના સૌથી શક્તિશાળી મંત્રીને સોંપતા રહે છે. મોદીના બ્રાઝીલ પ્રવાસ પર જવાને લઇને લોકોની નજર એ વાત પર વધારે હતી કે તેઓ આ જવાબદારી રાજનાથ અથવા જેટલીમાંથી કોને આપે છે.

ટીવી રિપોર્ટ્સ અનુસાર મોદીએ આ જવાબદારી કોઇને પણ નથી સોંપી. મોદીની ગેરહાજરીમાં તેમનું કામ પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ સંભાળશે. તેઓ સંસદમાં પીએમઓ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપશે.

narendra modi
આ પહેલા ભાજપે શનિવારે સંસદીય દળમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને નાણા અને રક્ષા મંત્રી અરૂણ જેટલી બંનેને બરાબર રીતે 'નંબર 2' પર બતાડવાની કોશીશ કરી હતી. પરંતુ આમાં માનવામાં આવી રહ્યું હતું કે મોદીની ગેરહાજરીમાં રાજનાથ સિંહ સંસદના ઉપનેતાના રૂહે સંસદ અને સરકારને લીડ કરશે.

ભાજપે રાજનાથને લોકસભા અને જેટલીને રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા જાહેર કર્યા હતા. રાજ્ય સભામાં જેટલી સત્તારૂઢ દળના નેતાના નાતે સંસદના નેતા પહેલા જ જાહેર કરાઇ ચૂક્યા છે, પરંતુ પાર્ટીએ પોતાના નિવેદનમાં તેમને રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા જાહેર કર્યા.

પાર્ટીએ રાજ્ય સભામાં અલગથી પોતાના નેતા કોઇને જાહેર નથી કર્યા. આ પ્રકારે સંસદની અંદર મોદી અને જેટલી પોત-પોતાના ગૃહના નેતા જાહેર થશે. પરંતુ પાર્ટી સંસદીય દળમાં જેટલી 'રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા' તરીકે ઓળખાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X