હિમાચલ પ્રદેશને વડાપ્રધાનની અદભૂત ભેંટ
ઇટાનગર, 20 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશને એક નવી સોગાત આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં નાહરલાગુનથી નવી દિલ્હી જનારી પ્રથમ એક્સપ્રેસ ટ્રેઇનને લીલી ઝંડી બતાવી છે.
વડાપ્રધાન મોદીએ આ ટ્રેનની લીલી ઝંડી નાહરલાગુનથી બતાવી. આ અવસર પર રેલવે મંત્રી સુરેશ પ્રભુ પણ તેમની સાથે હતા. આ પહેલી ટ્રેન છે જે નાહરલાગુનથી દિલ્હીની વચ્ચે દોડશે, આ ટ્રેન એસી ટ્રેન છે. પીએમ મોદીએ જણાવ્યું કે વાતાનુકૂલિત એક્સપ્રેસ ટ્રેન અરુણાચલ પ્રદેશની સ્થાપના દિવસ પર તેના માટે અનમોલ નજરાણું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રેલવે સંપર્ક વિકાસનું કરોડ રજ્જુ છે. રેલવે અરુણાચલ પ્રદેશના વિકાસમાં મજબૂતીના રૂપમાં ઉભરશે. મોદીએ જણાવ્યું કે રેલવે સંપર્કથી જ આ પહાડી રાજ્યમાં સમૃદ્ધિ આવશે. વડાપ્રધાને જણાવ્યું કે આજે રાજ્યને પ્રગતિ અને ઉર્જા બંને મળી રહી છે. બંને જ પ્રગતિ માટે જરૂરી છે. ભારતીય રેલ સંપર્ક અરુણાચલ પ્રદેશ માટે સમૃદ્ધિ લાવશે.












Click it and Unblock the Notifications
