PM મોદીએ દેશવાસીઓને આપી ગુરુ પૂર્ણિમાની શુભકામના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગુરુ પૂર્ણિમાના પ્રસંગે દેશવાસીઓને શુભકામના આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગુરુ પૂર્ણિમાના પ્રસંગે દેશવાસીઓને શુભકામના આપી છે. સાથે જ તેમણે ભગવાન બુદ્ધને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પીએમ મોદીએ કહ્યુ, 'હું આજે અષાઢ પૂર્ણિમાના અવસરે તમને સૌને પોતાની શુભકામના આપવા ઈચ્છુ છુ. આને ગુરુ પૂર્ણિના નામથી ઓળખવામાં આવે છે. આજના દિવસે આપણે ગુરુઓને યાદ કરવાનો દિવસ છે, જેમણે આપણને જ્ઞાન આપ્યુ. એ ભાવનામાં આપણે ભગવાન બુદ્ધને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.'

પ્રધાનમંત્રી કહ્યુ, 'ભગવાન બુ્દ્ધનુ આષ્ટાંગિક માર્ગ ઘણા સમાજ અને રાષ્ટ્રના કલ્યાણની દિશામાં રસ્તો બતાવે છે. આ કરુણા અને દયાના મહત્વ પર પ્રકાશ પાડે છે. બૌદ્ધ ધર્મનના લોકોએ આદર કરતા શીખવ્યુ છે, લોકો પ્રત્યે આદર, મહિલાઓનો આદર, ગરીબોનો આદર, અહિંસા અને શાંતિનો આદર. આ કારણથી બુદ્ધ દ્વારા આપવામાં આવેલી સીખ આજે પણ પ્રાસંગિક છે.'
આ સાથે જ તેમણે કહ્યુ કે, 'ભગવાન બુદ્ધે સારનાથમાં આપેલા પોતાના પહેલા ઉપદેશમાં અને બાદમાં બે વસ્તુઓ પર વાત કરી - આશા અને ઉદ્દેશ્ય. તેમને આમાં મજબૂત લિંક દેખાઈ. કારણકે આશાથી જ ઉદ્દેશ્ય પેદા થાય છે. હું 21મી સદી વિશે બહુ આશાન્વિત છુ. આ આશા મારા યુવા દોસ્તો પાસેથી મળી છે. આપણા યુવાનોથી. જો તમે એક સારુ ઉદાહરણ જોવા ઈચ્છો છે કે આશા, નવીનતા અને કરુણા કઈ રીતે દુખોને દૂર કરી શકે છે, તો આપણા યુવાનોના નેતૃત્વમાં સ્ટાર્ટઅપ સેક્ટરને જોઈ શકીએ છીએ. તેજ તર્રાર યુવા મન વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ શોધી રહ્યા છે.'
પ્રધાનમંત્રીએ કહ્યુ કે, 'ભારત પાસે સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ છે. હું યુવાઓને કહેવા ઈચ્છુ છુ કે ભગવાન બુદ્ધના વિચારો સાથે જોડાયેલા છે. તે તમને પ્રેરિત કરશે અને આગળનો રસ્તો બતાવશે. આજે દુનિયા ઘણા મોટા પડકારોનો સામનો કરી રહ્યા છે. આ બધી સમસ્યાઓને ભગવાન બુદ્ધના વિચારોથી હલ કરી શકાય છે, જે પહેલા પણ પ્રાસંગિક હતા, આજે પણ છે અને આગળ પણ રહેશે. થોડા દિવસ પહેલા ભારતીય કેબિનેટે ઘોષણા કરી હતી કે કુશીનગર એરપોર્ટ એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. આ ઘમા બધા લોકો, તીર્થયાત્રી અને પર્યટક આવશે. બુદ્ધના આશીર્વાત આપે સારુ કરવા માટે પ્રેરિત કરે.'
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
